1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં પાણીનું સ્તર ઉપર લાવવા માટે મનપાનો નિર્ણયઃ વોટર હાર્વેસ્ટિંગ વેલની ચકાસણી કરાશે
અમદાવાદમાં પાણીનું સ્તર ઉપર લાવવા માટે મનપાનો નિર્ણયઃ વોટર હાર્વેસ્ટિંગ વેલની ચકાસણી કરાશે

અમદાવાદમાં પાણીનું સ્તર ઉપર લાવવા માટે મનપાનો નિર્ણયઃ વોટર હાર્વેસ્ટિંગ વેલની ચકાસણી કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂગર્ભ જળના તળ નીચે ગયા છે. જેથી આગામી વર્ષોમાં પાણીની સમસ્યાના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. દરમિયાન શહેરમાં બનેલી બિલ્ડીગ અને સોસાયટીમાં રહેલા વોટર હાર્વેસ્ટિંગ વેલની ચકાસણી દર વર્ષે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

AMC ટીપી કમિટી ચેરમેન દેવાંગ દાણી જણાવ્યુ હતું કે, મોટી સોસાયટી કે બિલ્ડીગો જીડીસીઆરમાં નિયમનું પાલન કરતા નથી જે વસ્તુઓ એએસમી સામે આવી છે. જીડીસીઆરના નિયમ મુજબ નવી ઇમારતોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિયમ છે, પરંતુ તેનો અમલ યોગ્ય થતો નથી. તેથી હવે એએસમી વોટર વિભાગ ચોમસા પહેલ સોસાયટી અને બિલ્ડીગમા ચેકીંગ હાથ ધરશે. જે સોસાયટી કે બિલ્ડીગમા આ પદ્ધતિ નહી હોય તે એકમ સામે કાર્યવાહી કરાશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, શહેરના પાણીના ભુગર્ભ તળ ઉંચા આવે તે માટે આ જોગવાઇ જીડીસીઆરમા કરવામાં આવી છે. નવી ઇમારતોનાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવે. સોસાયટીમાં એક કુવો બનાવવા પણ આવે જે કુવા મારફતે વરસાદી પાણી જમીનમાં ઉતરે અથવા તો જો વરસાદી પાણી સંગ્રહનો ટાંકો બનાવ્યો હોય તો ત્યા તેની બચત થાય અને તે પાણીનો વર્ષ દરમિયાન સોસાયટી સભ્યો ઉપયોગ કરી શકે છે. હવે નવા ટીપીના તમામ રોડ ઓછામાં ઓછા 12 મીટર પહોળા રહેશે.  રોડ પહોળા થતા બિલ્ડરોને હાઇરાઇઝનો વધુ લાભ મળશે. અમદાવાદમા ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખી અને વધા રહેલા વાહનો આધારે હવે રસ્તાઓ પહોળા કરવા જરૂરિ છે . હવે રસ્તા પહોળા થશે તો જીડીસીઆરના નિયમ પ્રમાણે જ્યા 12 મિટરના રસ્તા પર પણ બિલ્ડરને ૧૦ માળની બિલ્ડીગ બનાવવા માટેની મંજૂરી સરળ બનશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code