1. Home
  2. ગુજરાતી
  3. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ મોટેરા સ્ટેડિયમમાં 4400થી વધારે પોલીસ કર્મચારીઓ રહેશે સુરક્ષામાં તૈનાત
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ મોટેરા સ્ટેડિયમમાં 4400થી વધારે પોલીસ કર્મચારીઓ રહેશે સુરક્ષામાં તૈનાત

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ મોટેરા સ્ટેડિયમમાં 4400થી વધારે પોલીસ કર્મચારીઓ રહેશે સુરક્ષામાં તૈનાત

0
Social Share

અમદાવાદઃ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમ અને તેની આસપાસ લગભગ 4400 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારત અને ઈંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં આગમન થઈ ચુક્યું છે. હાલ બંને ટીમો આશ્રમ રોડ ઉપર આવેલી જાણીતી હોટલમાં રોકાણ કરી રહી છે. બીજી તરફ પોલીસ દ્વારા ખેલાડીઓની સુરક્ષાને લઈને હોટલ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચ અને માર્ચ મહિનામાં યોજાનારી પાંચ જેટલી T 20 મેચ દરમ્યાન સુરક્ષાને લઈને પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં 12 ડીસીપી, 30 એસીપી, 85 પી.આઈ, 249 પીએસઆઇ, 4393 હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તના રહેશે.

ક્રિકેટ મેચ દરમિયાન પ્રેક્ષકો માટે અમદા- પાર્કિંગ નામની એપ્લિકેશનથી પાર્કિંગ બૂક કરવવાનું રહેશે. મેચ જોવા આવનારા લોકોએ પોતાનું વાહન બહારની સાઈડમાં જ પાર્ક કરવું પડશે. સ્ટેડિયમની નજીકમાં 27 જેટલા પાર્કિંગ પ્લોટ ફાળવવામાં છે. મોબાઈલ અને પાકીટ જ સ્ટેડિયમમાં લઇ જવા દેવામાં આવશે. ગેટ નંબર 1 અને 2માંથી જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. ગેટ પર અને રેમ્પ પાસે પણ બે વાર ફેસ સ્કેન કરી અને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code