1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રીય કર્મચારીઓના DAમાં આ મહિને થઇ શકે 4%નો વધારો

કેન્દ્રીય કર્મચારીઓના DAમાં આ મહિને થઇ શકે 4%નો વધારો

0
Social Share
  • કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર
  • સરકાર આ મહિનામાં DAમાં 4 ટકાનો વધારો કરી શકે છે
  • તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે

નવી દિલ્હી: દેશના 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓ જે મોંઘવારી ભથ્થાની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તેની ફેબ્રુઆરી 2021માં જાહેરાત થઇ શકે છે. કેન્દ્ર સરકાર આ મહિનામાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરી શકે છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે.

શ્રમ વિભાગે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સની પણ જાહેરાત કરી છે. જેનાથી કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે, તેમને વધારે DA મળશે. તમને જણાવી દઇએ કે મોંઘવારી ભથ્થાનો દર ફક્ત AICPI દ્વારા નક્કી કરવામાં આવે છે.

સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શખે છે. જેનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો મળશે. સાતમાં પગાર પંચ અનુસાર, જો કેન્દ્રીય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય, તો તેમના મુસાફરી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો થાય.

જોકે, 1 જુલાઈ 2020થી 1 જાન્યુઆરી 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓને DA નહીં આપવામાં આવે. અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ એપ્રિલ 2020માં કોરોના સંકટને કારણે મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રની જાહેરાત મુજબ, કેન્દ્રીય કર્મચારીઓને જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થું મળશે નહીં.

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને DA અને ડિયરનેસ રિલીફ (DR) નથી ચૂકવવામાં આવતું. મહત્વનું છે કે, હાલ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકા છે. DAમાં 4 ટકાનો વધારો થયા બાદ મોંઘવારી ભથ્થું 21 ટકા થઇ જશે અને મુસાફરી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો થશે.

તેનાથી કર્મચારીઓનો પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે. કેન્દ્ર મોંઘવારી ભથ્થામાં સમયાંતરે સંશોધન કરે છે. DAની ગણતરી બેસિક સેલરીના આધારે કરવામાં આવે છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code