1. Home
  2. ગુજરાતી
  3. જાણીતા કોમેડિયન કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન – લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
જાણીતા કોમેડિયન કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન – લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

જાણીતા કોમેડિયન કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન – લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

0
Social Share
  • રાજૂ શ્રીવાસ્તવનું સારવાર દરમિયાન નિધન
  • 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દિલ્હીઃ- મશહૂર કોમેડિયન કલાકાર રાજૂ શ્રાવાસ્તવ હવે આ દુનિયામાં નથી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યા આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.આજે હાસ્ય જડગતનો એક કલાકાર દરેકને રડાવી ગયો.58 વર્ષની વયે તેમનું નિધન થયું છે.

ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારથી તેઓની સારવાર ચાલી રહી હતી તેઓ  જીવન અને મૃત્યુ વચ્ચેની લાંબી લડાઈ લડ્યા બાદ આજે આ દુનિયાને અલવિદા કહી ગયા છે.

રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેમની હાલત નાજુક હતી. કોમેડિયનને પહેલા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જો કે આજે તેઓ આ લડાઈ સામે હારી ગયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code