1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કહેરને લઈને તેલંગણામાં પણ 16 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાના આદેશ
કોરોનાના કહેરને લઈને તેલંગણામાં પણ 16 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાના આદેશ

કોરોનાના કહેરને લઈને તેલંગણામાં પણ 16 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાના આદેશ

0
Social Share
  • તેલંગણામાં પણ શૈક્ષણિક કાર્ય બંધ
  • સીએમે આપ્યા આદેશ

 

હૈદરાબાદઃ- સમગ્ર દેશભમાં કોરોનાના દૈનિક કેસો ઝડપથી વધી રહ્યા છે જેને લઈને અનેક રાજ્યોએ કેટલાક પ્રતિબંધો, નાઈટ કરફ્યૂ લાગૂ કર્યું છે તો ગઈ કાલે ગુજરાતમાં શાળઆઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે તેલંગણામાં પણ શૈક્ષણઇક કાર્ય બંધ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોનાના વધતા જતા કેસોને કારણે તેલંગાણા સરકારે તેના રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની જાહેરાત કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ એ સોમવારે કહ્યું કે કોવિડ-19ને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 8 થી 16 જાન્યુઆરી સુધી રજા જાહેર કરવી જોઈએ. 

આ મામલે એક સત્તાવાર નિવેદનપ્રમાણે, તેલંગાણામાં કોવિડ -19 ના કેસોમાં વધારો થવા પર મંત્રીઓ અને અધિકારીઓ સાથેની યોજાયેલી બેઠકમાં, રાવે કહ્યું કે હોસ્પિટલોમાં બેડ , ઓક્સિજન બેડ અને દવાઓની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને પરીક્ષણ કીટ ખરીદવી જોઈએ. જરૂરિયાત મુજબ.

મુખ્યમંત્રીએ લોકોને ઓમિક્રોનના જોખમને ગંભીરતાથી લેવાની અપીલ કરી પરંતુ સાથે સાથે સાવચેતી રાખવા પણ કહ્યું. CMO દ્વારા કહેવામાં આવ્યું હતું કે લોકોએ કામ કરતી વખતે સાવધાન રહેવું જોઈએ અને માસ્ક ફરજિયાત  પહેરવું જોઈએ. સરકાર દ્વારા જારી કરાયેલા કોરોના નિયમોનું પાલન કરવું જોઈએ, ામ કોરોનાના કહેરને લઈને ઘણા રાજ્યોએ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code