1. Home
  2. પાકિસ્તાન સરકારે જૈશ અને જમાત-ઉદ-દાવા સાથે સંબંધ હોવાની શંકાના આધારે 11 સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

પાકિસ્તાન સરકારે જૈશ અને જમાત-ઉદ-દાવા સાથે સંબંધ હોવાની શંકાના આધારે 11 સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

0

પાકિસ્તાન સરકારે લાહોરના 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમના પર આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. જૈશના પ્રમુખ મસૂદ અઝહરને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે. જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઈદને 2008માં થયેલા મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.

ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. તેમાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારત-પાક વચ્ચે તણાવ ઊભો થઈ ગયો હતો. પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરીમાં જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પણ બેન લગાવ્યો હતો.

પાક વડાપ્રધાન ઇમરાન ખાન અને મંત્રી એજાજ શાહ વચ્ચે શુક્રવારે મીટિંગ થઈ. આ દરમિયાન 11 સંગઠનો પર બેન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. ઇમરાને પહેલા જ કહ્યું હતું કે તેઓ કોઈપણ હાલતમાં પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે નહીં કરવા દે.

પાકિસ્તાન નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, બેન કરવામાં આવેલા સંગઠનોમાં અલ-અન્ફાલ ટ્રસ્ટ, ઇદારા, ખિદમત-એ-ખલાક, અલ-દાવત ઉલ ઇરશાદ, મોસ્ક એન્ડ વેલફેર ટ્રસ્ટ, અલ-મદીના ફાઉન્ડેશન, મજ-બિન-જબેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને અલ-હમદ ટ્રસ્ટનું નામ સામેલ છે. તમામ સંગઠન લાહોરના છે.

આ સાત સંગઠનો ઉપરાંત લાહોરના અલ-ફઝલ ફાઉન્ડેશન/ટ્રસ્ટ અને અલ-ઇઝર ફાઉન્ડેશન, બહાવલપુરના અલ-રહમત ટ્રસ્ટ સંગઠન અને કરાચીના અલ-ફુરકાન ટ્રસ્ટને પણ બેન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ સરકારે જણાવ્યું કે 30 હજારથી વધુ મદરેસાઓને નિયંત્રણમાં રાખવામાં આવી છે.

પાક સરકારના આંતરિક મંત્રાલય હેઠળ આ ઓથોરિટી કામ કરે છે. સંગઠનો પર પ્રતિબંધની કાર્યવાહી પાક સરકારના 2015ના નેશનલ એક્શન પ્લાન હેઠળ કરવામાં આવી. તે પ્રમાણે, દેશના કટ્ટરપંથીઓ અને આતંકીઓને બહાર કરવાની વાત કહેવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code