1. Home
  2. ગુજરાતી
  3. પાવાગઢ: મહાકાળી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ, જાણો ક્યારે ખુલશે મંદિર
પાવાગઢ: મહાકાળી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ, જાણો ક્યારે ખુલશે મંદિર

પાવાગઢ: મહાકાળી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ, જાણો ક્યારે ખુલશે મંદિર

0
Social Share
  • મહાકાળી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ 
  • 24 મે સુધી મંદિર રહેશે બંધ
  • મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય

વડોદરા: કોરોનાના વધતા સંક્રમણને જોતા યાત્રાધામ પાવાગઢ મહાકાલી મંદિરના દ્વાર આગામી 24 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત વધી રહેલ કોરોના સંક્રમણને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે ગુજરાત અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે.

સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી હોવાથી તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન મુજબ ટ્રસ્ટ દ્વારા હાલ તારીખ 24 મે સુધી મંદીરના દ્વાર દર્શન માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં માતાજીના ભક્તોએ પણ સમજવુ જરૂરી છે કે કોરોનાના સમયમાં સંક્રમણ ન ફેલાય તે માટે ભીડ થાય તેવા કોઈ કામ કરવા જોઈએ નહી. મંદિરોમાં પછી પણ જઈ શકાય છે પણ સંક્રમિત થવાથી જીવનું પણ જોખમ રહેલુ હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code