1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી આવતીકાલે ખેડૂતો માટે 12મો હપ્તો જાહેર કરશે,’ભારત’ બ્રાન્ડની યુરિયા બેગ પણ આપશે
PM મોદી આવતીકાલે ખેડૂતો માટે 12મો હપ્તો જાહેર કરશે,’ભારત’ બ્રાન્ડની યુરિયા બેગ પણ આપશે

PM મોદી આવતીકાલે ખેડૂતો માટે 12મો હપ્તો જાહેર કરશે,’ભારત’ બ્રાન્ડની યુરિયા બેગ પણ આપશે

0
Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરથી દિલ્હીમાં શરૂ થનારા બે દિવસીય કાર્યક્રમમાં ‘PM કિસાન યોજના’ હેઠળ 8.5 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ઇલેક્ટ્રોનિક રીતે 16,000 કરોડ રૂપિયાની રકમ મોકલશે.પુસા કેમ્પસમાં યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવનાર આ રકમ આ ખેડૂતો માટે વાર્ષિક રૂ. 6,000ની સીધી સહાય હશે.આ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવનાર આ 12મો હપ્તો હશે.

આ સાથે આ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી કુલ રકમ વધીને 2.16 લાખ કરોડ રૂપિયા થઈ જશે.આ ઉપરાંત, વડાપ્રધાન 600 ‘PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રો’નું ઉદ્ઘાટન કરશે અને ‘એક રાષ્ટ્ર, એક ખાતર’ યોજના હેઠળ ‘ભારત’ બ્રાન્ડ ધરાવતી સબસિડીવાળી યુરિયા બેગ પણ રજૂ કરશે.કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, ખાતર ક્ષેત્ર માટે લેવામાં આવેલા સૌથી મોટા પગલામાં, યુરિયા, ડી એમોનિયા ફોસ્ફેટ (ડીએપી), એમઓપી અને એનપીકે સહિત તમામ સબસિડીવાળા ખાતરો દેશભરમાં એક જ બ્રાન્ડ ‘ભારત’ હેઠળ વેચવામાં આવશે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન કાર્યક્રમ દરમિયાન ‘ભારત યુરિયા બેગ’ પણ રજૂ કરશે. તેમણે કહ્યું કે સરકાર કંપનીઓ માટે ‘ભારત’ બ્રાન્ડ હેઠળ સબસિડીવાળા ખાતરનું વેચાણ કરવાનું ફરજિયાત બનાવી રહી છે. મોદી કૃષિ મંત્રાલય અને ખાતર મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત ‘પીએમ કિસાન સન્માન સંમેલન 2022’માં આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક ખાતર ઈ-મેગેઝિન ‘ઈન્ડિયન એજ’નું વિમોચન કરશે.આ ઉપરાંત તેઓ એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અને એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ-કિસાન યોજના ફેબ્રુઆરી 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતને દર મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ અંતર્ગત ત્રણ મહિના માટે 6,000 રૂપિયાની રકમ એક હપ્તામાં આપવામાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code