લખનૌઃ કોલસાની અછતને પગલે ઉત્તરપ્રદેશમાં ચાલતા વિજળી સંકટ આગામી દિવસોમાં વિકટ સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા છે. પાવર કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યા અનુસાર 15મી ઓક્ટોબર પહેલા કોલસાની સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો સુધાર જોવા નથી મળતો. ઉમસ અને વીજળીની માંગણી વધવાની જગ્યાએ પ્રદેશના ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં ભયંકર વિજળી સંકટ જોવા મળુ રહ્યું છે. શહેરી વપરાશકારોને અધોષિત રૂપમાં વિજળી સંકટનો સામનો કરવો પડે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. જો પરિસ્થિતિ આવી જ રહી તો શહેરોમાં પણ કપાત જાહેર કરવી પડે તેવી શકયતા છે.
ઉત્તરપ્રદેશમાં હાલના સમયમાં વિજળીની માંગ 20 હજારથી 21 હજાર મેગાવોટ વચ્ચે છે. બીજી તરફ સપ્લાય 17 હજાર મેગાવોટ રહેવા પામી છે. સૌથી વધારે વીજળીનો કાપ પૂર્વાંચલ અને મધ્યાંચલના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળી રહી છે. રાજ્યમાં વીજળી સંકટ દૂર કરવા માટે પાવર કોર્પોરેશનએ એક્સચેન્જથી 15થી 20 રૂપિયા પ્રતિ યુનિટ સુધી વીજળી ખરીદવી પડી રહી છે. વીજળીની કિંમત વધારે હોવાના કારણે પાવર કોર્પોરેશન વધારે માત્રામાં એક્સચેન્જથી વીજળી નહીં ખરીદી શકતી. પાવર કોર્પોરેશનને વીજળી આપનારા 8 પાવર પ્લાન્ટ હાલના સમયમાં કોલસાની અછતને કારણે બંધ છે. આ ઉપરાંત છ પાવર પ્લાન્ટ અન્ય ટેકનીકલ કારણોસર બંધ છે. કોલસાની અછતના કારણે જે પ્લાન્ટ બંધ થયા છે, તેમાંથી પાવર કોર્પોરેશનને 2700 મેગાવોટ વિજળી મળે છે.
પાવર કોર્પોરેશના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વીજળીની અછત વધારે વધી શકે છે. એનું એક કારણ છે કે, ઉત્પાદન નિગમના કેટલાક પાવર પ્લાન્ટ છે જેનુ કોસલાનું પેમેન્ટ બાકી છે. કોલસાની અછત વચ્ચે કોલસા કંપનીએ નક્કી કર્યું છે કે, જે પાવર પ્લાન્ટોમાં કોલસાની પ્રાથમિકતા આધાર ઉપર આપવામાં આવશે.