1. Home
  2. ગુજરાતી
  3. રામલલાને પણ ગરમીની અસર, પ્રભુને પહેરાવાય છે સુતરાઉ વસ્ત્રો
રામલલાને પણ ગરમીની અસર, પ્રભુને પહેરાવાય છે સુતરાઉ વસ્ત્રો

રામલલાને પણ ગરમીની અસર, પ્રભુને પહેરાવાય છે સુતરાઉ વસ્ત્રો

0
Social Share

અયોધ્યાઃ ઉત્તરભારતમાં હાલ કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ગરમીને પગલે રામલલાની દિનચર્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમને ગરમીમાં રાહત આપતું ભોજન અને રાહત આપતા કપડાં આપવામાં આવી રહ્યા છે. હાલમાં ઉત્તર ભારતમાં નૌટપાના કારણે તાપમાન સતત 40 ડિગ્રીથી ઉપર રહે છે. આવી સ્થિતિમાં રામનગરીના મંદિરમાં હાજર ભગવાનની દિનચર્યા પણ બદલાઈ ગઈ છે. રામ મંદિરમાં હાજર બાળક રામના રાજ-ભોગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રામલલાને ભોગ તરીકે દહીં અને ફળોનો રસ આપવામાં આવે છે. તેમની શીતલ આરતી કરવામાં આવી રહી છે. તેમને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં રામલાલ 5 વર્ષના બાળકના રૂપમાં હાજર છે. તેથી, તેમને ઠંડી અને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નૌતપાને કારણે રામલલાને ઠંડી વાનગીઓ ચઢાવવામાં આવી રહી છે અને તેમને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવી રહ્યા છે.

અગાઉ રામલલાની સવારની આરતી માત્ર દીવા વડે કરવામાં આવતી હતી, પરંતુ હવે ભારે ગરમીને કારણે તેમની આરતી ચાંદીની થાળીમાં ચારેબાજુ ફૂલો ફેલાવીને કરવામાં આવે છે. આ સાથે તેમને સવાર-સાંજ પ્રસાદ તરીકે દહીં આપવામાં આવે છે. આ સિવાય બપોરે ફળોના રસ અને લસ્સીનો આનંદ લે છે. તેમના પ્રસાદમાં મોસમી ફળોનો પણ સમાવેશ થાય છે.

આ વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભગવાન રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ થયો હતો. જે બાદ આ વખતે બાળક રામને સૌથી પહેલા ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણોસર, મંદિર ટ્રસ્ટ દ્વારા બાળ રામને ગરમીથી બચાવવા અને તેને ઠંડુ રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code