1. Home
  2. ગુજરાતી
  3. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના તાંતણે બંધાયા
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના તાંતણે બંધાયા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના તાંતણે બંધાયા

0
Social Share
  • રણબીર અને આલિયા બન્યા પતિ-પત્ની
  • બંને પરિવારોની હાજરીમાં લીધા 7 ફેરા

મુંબઈ: ઘણા સમયથી ચાહકો રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે તેમનો રાહ જોવાનો સમય સમાપ્ત થયો છે અને અંતે રણબીર અને આલિયા પતિ-પત્ની બની ગયા છે.

બોલિવૂડના મોસ્ટ લવિંગ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કરી લીધા છે. આલિયા ભટ્ટ આજે રણબીર કી દુલ્હનિયા બની છે. બંનેએ મુંબઈમાં રણબીર કપૂરના ઘર વાસ્તુમાં 7 ફેરા લીધા છે.

સવારથી જ તેના ઘરે બોલિવૂડ સેલિબ્રિટીઝનો જમાવડો જામવા લાગ્યો હતો. કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, આદર જૈન, રણબીર કપૂરની માતા નીતુ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર અને તેની પુત્રી સમારા સાહની, મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ, સોની રાઝદાન ઉપરાંત ડિરેક્ટર લવ રંજન, અયાન મુખર્જી અને કરણ જોહર ઉપરાંત પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી.

હવે લગ્ન સારી રીતે સંપન્ન થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. રણબીર અને આલિયાના ફેન્સ ઘણા ખુશ છે.બોલિવૂડનું બેસ્ટ કપલ કહેવાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હવે કાયમ માટે એકબીજાના છે.

ગઈકાલથી જ બંન્નેના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ હતી. મહેંદી ફંક્શનમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, કરણ જોહર સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી.જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code