
કોરોનાના કેસોમાં રાહતઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9,436 કેસ, સક્રિય કેસો 87 હજારથી પણ ઓછા
- કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો
- 16,866 કેસ નોંધાયો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે , છેલ્લા 3 દિવસથી ફરી કોરોનાના કેસોનો એંકડો 10 હજારની અંદર નોંધાઈ રહ્યો છે ત્યારે ફરી છેલ્લા 24 કલાકની અંદર 10 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે જેને જોતા કહી શકાય છે કે કેરોનાના કેસોમાં રાહત મળી રહી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 9 હજાર 436 નવા દર્દીઓ નોંધાયા છે. તેથી, સક્રિય કેસોની સંખ્યા હવે એક લાખથી ઓછી થઈ ગઈ છે. બે અઠવાડિયા પહેલા આ આંકડો એક લાખથી વધુ હતો. વિતેલા દિવસને શનિવારે દેશભરમાં કોરોના વાયરસના ચેપના 9 હજાર 520 નવા કેસ નોંધાયા છે.
જો હાલ દેશમાં સ્ક્રિય કેસો પર નજર કરીએ તો તે હવે 87 હજારની અદર જોવા મળે છે.હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા હાલમાં 86 હજાર 591 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 41 દર્દીઓના મોત થાય છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સૌથી વધુ
સૌથી વધુ કેસ દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે,શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 1 હજાર 723 નવા કેસ નોંધાયા હતા આ સમાન સમયગાળઆ દરમિયાન છ દર્દીઓના મોત થયા હતા, 1 હજાર 723 નવા કેસમાંથી 1 હજાર 144 દર્દીઓ એકલા મુંબઈમાં નોંધાયા છે