1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કેસોમાં રાહતઃ છેલ્લા 24 કલાકમાં 4,369 કેસ નોંધાયા, સક્રિય કેસો 47 હજારથી ઓછા
કોરોનાના કેસોમાં રાહતઃ છેલ્લા 24 કલાકમાં 4,369  કેસ નોંધાયા, સક્રિય કેસો 47 હજારથી ઓછા

કોરોનાના કેસોમાં રાહતઃ છેલ્લા 24 કલાકમાં 4,369 કેસ નોંધાયા, સક્રિય કેસો 47 હજારથી ઓછા

0
Social Share
  • કોરોનાના કેસોમાં રાહત
  • 24 કલાકમાં નોંધાયા 4,369 કેસ નોંધાયા

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ઘીરે ઘીરે ઓછો થઈ ગયો છે કે દૈનિક કેસોમાં એટલી હદે રાહત મળી રહી છે કે વિતેલા 24 કલાકમાં સાડા 4 હજાર કરતા પમ ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે.આ સાથે જ સક્રિય કેસોના આંકડો પણ 48 હજારથી ઓછા થઈ ચૂક્યો છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં કુલ 4 હજાર 369 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે.જો કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ સારી જોવા મળે છે  હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 46 હજાર 347 છે.

આ સાથે જ સક્રિય કેસોમાં કુલ સંક્રમણનો 0.11 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ વધીને 98.71 ટકા થયો છે,24 કલાકના સમયગાળામાં સક્રિય કેસોમાં 769 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

આ સાથે જ કોરોના સામેની જંગમાં દેશમાં કોરોના રસીકરણ અભિયાન તેજ ગતિએ શરુ જ છે. છેલ્લા 24 કલાકમાં 21 લાખ 67 હજાર 644 લોકોને રસી આપવામાં આવી છે, ત્યારબાદ દેશભરમાં 215 કરોડ 47 લાખ 80 હજાર 693 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code