1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેન સંકટ પર એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે કરી વાત
યુક્રેન સંકટ પર એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે કરી વાત

યુક્રેન સંકટ પર એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે કરી વાત

0
Social Share
  • રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ
  • એસ જયશંકરે એન્ટની બ્લિંકન સાથે કરી વાત
  • કહ્યું – ભારતીયોની વાપસી માટે રોમાનિયા સાથે મળીને કરી રહ્યા છે કામ

દિલ્હી:યુક્રેન સંકટ પર વિદેશ મંત્રી એસ.જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લાવરોવ સાથે ટેલિફોન પર વાતચીત કરી.જયશંકરે ગુરુવારે રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, બ્લિંકન સાથે યુક્રેનમાં ચાલી રહેલા ઘટનાક્રમ અને તેના પ્રભાવો પર ચર્ચા કરવામાં આવી હતી.તેણે કહ્યું, ‘હું બ્લિંકન સાથેના ફોનની પ્રશંસા કરું છું.

યુક્રેનમાં ચાલી રહેલા ઘટનાક્રમ અને તેના પ્રભાવો અંગે ચર્ચા કરી.લાવરોવ સાથેની વાતચીત પર જયશંકરે કહ્યું કે,તેમણે તેમના રશિયન સમકક્ષને કહ્યું કે,વાતચીત અને કૂટનિતી જ આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ છે.તેમણે અહીં રોમાનિયાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે રાત્રે રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં તેમના સમકક્ષો સાથે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા અંગે વાત કરી હતી.રશિયન લશ્કરી આક્રમણ બાદ યુક્રેને તેની હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા પછી, ભારત રોમાનિયા, હંગેરી, સ્લોવાક રિપબ્લિક અને પોલેન્ડની જમીની સરહદો દ્વારા યુક્રેનમાંથી લગભગ 16,000 ભારતીયોને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

જયશંકરે ટ્વિટ કર્યું, “યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં રોમાનિયાના વિદેશ મંત્રી બોગદાન ઓરેસ્કુના સહકારની ખૂબ પ્રશંસા કરું છું.ભારતીય વિદેશ મંત્રાલય રોમાનિયાના વિદેશ મંત્રાલય સાથે મળીને સરહદ પારથી લોકોનું ઝડપથી સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે.મિત્રો મુશ્કેલ સમયમાં અમને સાથ આપવા માટે ત્યાં છે. તેમણે આ મામલે મદદ કરવાની ઈચ્છા દર્શાવવા બદલ સ્લોવાકિયાના વિદેશ મંત્રી ઈવાન કોરસોકની પણ પ્રશંસા કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code