
ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું શૂટિંગ શરૂ, કાર્તિકનો નવો લુક સામે આવ્યો
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન ફરી એકવાર તેના ચાહકો માટે રોમાંચક સમાચાર લઈને આવ્યો છે. રોમેન્ટિક ડ્રામા ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેનો મુહૂર્ત શોટ યુરોપમાં શૂટ કરવામાં આવ્યો છે. દિગ્દર્શક સમીર વિદ્વાંસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ અને નમહ પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.
કાર્તિન આર્યને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે નવા લુકમાં જોવા મળી રહ્યો છે. આ સાથે, અભિનેતાએ મુહૂર્ત શોટ વિશે પણ માહિતી આપી છે. અભિનેતાએ તાજેતરમાં અનુરાગ બાસુની રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને હવે તે આ નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.
અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુહૂર્તની એક વિડિઓ ક્લિપ પોસ્ટ કરી, જેમાં ભગવાન ગણેશની એક ઝલક શેર કરી. આ વીડિયોમાં ફિલ્મના ક્લેપરબોર્ડ સાથે ભગવાન ગણેશની ઝલક પણ જોવા મળે છે.
‘તુ મેરી મેં તેરા, મૈં તેરા તુ મેરી’નું નિર્દેશન કરી રહેલા સમીર વિદ્વાંસે અગાઉ ‘સત્યપ્રેમ કી કથા’ જેવી ફિલ્મ આપી છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર, આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા અને કિશોર અરોરા કરી રહ્યા છે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે વેલેન્ટાઇન વીક દરમિયાન રિલીઝ કરવાનું આયોજન છે.
આ અભિનેતા પાસે આજકાલ ઘણી બધી ફિલ્મો છે. અગાઉ, અભિનેતાએ એક ફોટો શેર કર્યો હતો અને ચાહકોને તેમની બીજી ફિલ્મ નાગજીલા વિશે માહિતી આપી હતી. આ ફિલ્મ આવતા વર્ષે 14 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.