1. Home
  2. ગુજરાતી
  3. ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 91 યાત્રાળુઓના મોત- ડીજી હેલ્થે કરી પુષ્ટિ  
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 91 યાત્રાળુઓના મોત- ડીજી હેલ્થે કરી પુષ્ટિ  

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 91 યાત્રાળુઓના મોત- ડીજી હેલ્થે કરી પુષ્ટિ  

0
Social Share
  • 3 મેં થી શરુ થઇ તીર્થયાત્રા
  • અત્યાર સુધીમાં કુલ 91 શ્રદ્ધાળુઓના મોત
  • ડીજી હેલ્થે કરી પુષ્ટિ   

દહેરાદૂન:આ વર્ષે 3 મેથી તીર્થયાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 91 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. 26 મેના રોજ પણ યાત્રા દરમિયાન 16 શ્રદ્ધાળુઓના મોત થયા હતા.તે જ સમયે, ડીજી હેલ્થ ડો. શૈલજા ભટ્ટે આ વાતની પુષ્ટિ કરી છે.

ઉત્તરાખંડના ડાયરેક્ટર જનરલ (ડીજી) હેલ્થ શૈલજા ભટ્ટે જણાવ્યું હતું કે,શુક્રવારે મૃત્યુ પાછળનું મુખ્ય કારણ હાર્ટ એટેક હતું. તેનું કહેવું છે કે,”મોટા ભાગના યાત્રિકો હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યા હતા.ઉપરાંત, ચારધામમાં આરોગ્ય સેવાઓ અગાઉની સરખામણીમાં વધુ મજબૂત કરવામાં આવી છે,”. વધારાના 169 ડોકટરો તૈનાત કરવામાં આવ્યા છે.

અક્ષય તૃતીયાના અવસરે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની હાજરીમાં 3 મેના રોજ ભક્તો માટે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલીને ચારધામ યાત્રા શરૂ થઈ હતી.આ સિવાય કેદારનાથના દરવાજા 6 મેના રોજ ખુલ્યા હતા જ્યારે બદ્રીનાથના દરવાજા 8 મેના રોજ ખુલ્યા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code