1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના ગવિયર તળાવમાં લૂપ્ત થતી જળબિલાડીનું ઝૂંડ જોવા મળતા આશ્વર્ય
સુરતના ગવિયર તળાવમાં લૂપ્ત થતી જળબિલાડીનું ઝૂંડ જોવા મળતા આશ્વર્ય

સુરતના ગવિયર તળાવમાં લૂપ્ત થતી જળબિલાડીનું ઝૂંડ જોવા મળતા આશ્વર્ય

0
Social Share

સુરત : શહેર નજીક આવેલા ગવિયર તળાવમાં ગુજરાતમાં લુપ્ત થનારા જળબિલાડીના પરિવારે નિવાસ્થાન બનાવ્યું છે. અતિ દુર્લભ કહી શકાય એવી જલબિલાડીઓનું ઝુંડ અહીં જોવા મળી રહ્યું છે. ગવિયર તળાવની નજીક વિશાળકાય ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. આવા વિસ્તારમાં ગવિયર તળાવ કુદરતી સૌંદર્ય ફેલાવી રહ્યું છે અને સુરત શહેરથી 7 કિલોમીટર દૂર આવેલા આ તળાવ વન્યજીવોનું આશ્રયસ્થાન બની ગયું છે.

ગુજરાતની લુપ્ત ગણાતી સાતથી દસ જલબિલાડીનું ઝુંડ ગવિયર તળાવ ખાતે જોવા મળ્યું છે. આશ્ચર્યની વાત એ  છે કે, એક બાજુ આ તળાવની નજીક ઔદ્યોગિક એકમો આવેલા છે અને બીજી બાજુ ગુજરાતમાં જે પ્રાણી લુપ્ત થવાના આરે છે તે પ્રાણીઓએ આ તળાવને પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે. ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015 થી અહીં નેચર ક્લબ સુરત દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જલબિલાડીની વસ્તી વધતી દેખાઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જલબિલાડીઓએ ગવિયર તળાવને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ગવિયર તળાવમાં હાલમાં અંદાજીત 7 થી 10 જલબિલાડીઓ વિહાર કરતી જોવા મળી રહી છે. આ ખાસ પ્રોજેક્ટ ચલાવનારા કૃણાલ ત્રિવેદીએ કહ્યુ હતું કે, છેલ્લાં છ વર્ષથી ગવિયર તળાવમાં અમે સંશોધન કરી રહ્યા છે. અમારી સંસ્થા દ્વારા જળ બિલાડીના સંરક્ષણ અને વસ્તી વધારા માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યક્રમો યોજી રહ્યા છે. જલ બિલાડીઓની સંખ્યામાં વધારો થાય એ માટે અમે કૅમેરા ટાઈપિંગ, જાગરૂકતાના કાર્યક્રમ, માછીમારી માટે યોગ્ય સ્થળ વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અને આવનાર દિવસોમાં નેચર ક્લબ વન વિભાગ સાથે મળીને ગુજરાતમાં જળ બિલાડીની વસ્તી ગણતરી પણ કરશે. (file photo)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code