અમદાવાદના અમરાઈવાડીમાં 4 દારૂડિયાએ 12 વાહનોમાં તોડફોડ કરી, બે મહિલાને મારમાર્યો
અમદાવાદઃ શહેરમાં દારૂ વેચાતો નહીં હોવાના પોલીસના દાવા વચ્ચે કેટલાક દારૂડિયાઓ દારૂના નશામાં રાજાપાઠમાં આવીને બબાલ કરતા હોવાના બનાવો પણ બને છે. શહેરના અમરાઈવાડીમાં રાત્રે ચાર વ્યકિતઓએ દારૂ પીધેલી હાલતમાં રામદેવનગરની સામે પડેલા બાર જેટલા વાહનો તથા એક નાસ્તાની લારીમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ સમયે બે મહિલાઓએ નુકસાન નહીં કરવા સમજાવવા જતા દારૂડીયાઓએ […]