1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના ચાંદખેડાની 45 સોસાયટીઓમાં તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યા

સોસાયટીના રહિશો છેલ્લા ત્રણ મહિનાથી ટેન્કર પર નિર્ભર, મ્યુનિના અધિકારીઓ ભાજપના કોર્પોરેટરોને પણ ગાંઠતા નથી, ચાંદખેડા વોર્ડમાં શૈલગંગા પાણીની ટાંકીમાં પાણીનો સપ્લાય ખૂબ જ ઓછો આવી રહ્યો છે અમદાવાદઃ  ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવાની લોકોને ફરજ પડી […]

અમદાવાદમાં પૂરફાટ ઝડપે કારે એક્ટિવાને ટક્કર મારતા બે યુવાનોના મોત

શહેરમાં ઝાંસીની રાણી, BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાયો અકસ્માત, સીજી રોડ પર જન્મદિનની ઊજવણી બાદ ત્રણ મિત્રોએ કારની રેસ લગાવી હતી, એક્ટિવા સવાર યુવાનો 100 દૂર ફંગોળાયા અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઝાંસીની રાણી, બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન […]

અમદાવાદમાં USના એવિએશન અને લીગલ એક્સપર્ટએ પ્લેન દૂર્ઘટના સ્થળની મુલાકાત લીધી

પીડિતોના પરિવારોએ ન્યાય માટે અમેરિકા સ્થિત લૉ ફર્મ બસ્લી એલનની નિમણૂક કરી, પીડિત પરિવારોએ બોઈંગ કંપની સામે યુએસની ફેડરલ કોર્ટમાં અરજી પણ કરી છે, માઈક એન્ડ્રુઝે પીડિત પરિવારોની મુલાકાત લીધી અમદાવાદઃ શહેરમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ન્યાયની રાહ જોતાં 65 પીડિત પરિવારે યુએસ ફેડરલ કોર્ટમાં બોઈંગ કંપની સામે અરજી કરી છે. અને ભારત અને […]

અમદાવાદમાં વિશાલા-નારોલ હાઈવે પરનો શાસ્ત્રી બ્રિજ 7 મહિના માટે બંધ કરાયો

ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું, શાસ્ત્રી બ્રિજને તાત્કાલિક મરામતની જરૂર પડતા બંધ કરાયો, વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરાશે અમદાવાદઃ શહેરના નારોલ જંકશનથી વિશાલાને જોડતા હાઈવે પરના શાસ્ત્રીબ્રીજની એક તરફની બેરિંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ  હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક રિપેર કરવાની જરૂરિયાત હોવાથી આગામી સાત મહિના માટે આ બ્રિજને બંધ કરવા માટે  ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ […]

અમદાવાદમાં મ્યુનિના ગાર્બેજ વાહને બે ટૂ વ્હીલર્સને અડફેટે લેતા એકનું મોત, 2ને ઈજા

લોકોએ ગાર્બેજ વાનના ચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો, ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જમાલપુર વિસ્તારમાં આજે બન્યો હતો. આજે સવારે મ્યુનિની ડોર-ટુ-ડોર કચરો કલેક્શન કરતી ગાર્બેજવાને બે દ્વીચક્રી વાહનોને ટક્કર મારી હતી. […]

અમદાવાદમાં ગીતા મંદિર એસટી બસ સ્ટેશનની બહાર લારી-ગલ્લાના દબાણો દૂર કરવા માગ

એસટી વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો, લારી ગલ્લા અને રિક્ષાવાળાઓના કારણે મુસાફરો પરેશાન થાય છે, ગીતા મંદિર એસટી બસ સ્ટેશન પર રોજ 3000 બસોની અવરજવર અમદાવાદઃ શહેરના ગીતા મંદિર નજીક આવેલા એસટીના મુખ્ય બસ સ્ટેશનની બહાર લારી-ગલ્લાઓના દબાણો અને રિક્ષાઓ આડેધડ પાર્ક કરાતી હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રાજ્યના તમામ […]

અમદાવાદમાં પર્યાવરણની રક્ષા માટે ઈકો-ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ અપનાવવા મ્યુનિની અપીલ

પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને રાસાયણિક રંગોવાળી મૂર્તિઓ ન ખરીદવા અપીલ, ગૌવંશના છાણમાંથી બનતી મૂર્તિ, પોટ અને દીવાનો મ્યુનિ. દ્વારા પ્રચાર-પ્રસાર કરાશે, AMC દ્વારા ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓના વેચાણ માટે જાહેર સ્થળોએ વિનામૂલ્યે જગ્યા ફાળવશે,  અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે  શહેરના […]

અમદાવાદમાં મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ભારે વાહનનો માટે બંધ કરાયો

બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો, ભારે વાહનો ત્રિકમપુરા ચાર રસ્તા તરફ નિકળી જમણી બાજુ વળી અવરજવર કરી શકાશે, અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામું બહાર પાડ્યુ અમદાવાદઃ શહેરના રામોલ ચોકીથી વટવા GIDC તરફનો મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે, શહેર પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું […]

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ વાહનચાલકો પાસેથી દોઢ વર્ષમાં 11 કરોડ દંડ વસુલાયો

રોંગ સાઇડ, ઓવરસ્પિડ, સહિત ટ્રાફિક ભંગના ગુના નોંધાયા, 2161 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા, રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાય તો ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાશે અમદાવાદઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિકભંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પણ ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો સામે કડક હાથે કામ લેવા નિર્દેશ કર્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી  રોન્ગ […]

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવાના મામલે મેડિકલ એજન્‍સીઓ પર દરોડા

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્‍સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. 17 લાખની કિંમતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code