1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં શ્યામલથી પ્રહલાદનગર સુધીના રોડ પર પાર્કિંગ કરાતાં 11 બિલ્ડિંગોના 911 એકમોને નોટિસ,

અમદાવાદ: શહેરમાં પાર્કિંગનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. લોકોને પોતાના ઘર પાસે પાર્કિંગની જગ્યા મળતી નથી. જેમાં શ્યામલથી પ્રહલાદનગર રોડ પર તો એવી હાલત છે. કે, વર્ષો પહેલા ફ્લેટ્સ કે એપાર્ટમેન્ટ બનાવેલા હોવાથી તત્કાલિન સમયે બિલ્ડરોએ પાર્કિંગની પુરતી વ્યવસ્થા ઊભી કરી નહતી. હવે ફોરવ્હીલ વાહનો ઘરદીઠ હોવાથી વાહનો પાર્ક ક્યાં કરવા તે મોટો પ્રશ્ન છે. […]

અમદાવાદના બાપુનગરમાં રૂના કારખાંનામાં લાગેલી ભીષણ આગ દોઢ કલાકે કાબુમાં આવી

અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. શુક્રવારની રાત્રે નારણપુરાના એક ફ્લેટમાં આગ લાગતા ઘર-વખરી બળીને ખાક થઈ હતી. આ બનાવ તોજો જ છે. ત્યારે રવિવારે બાપુનગર વિસ્તારમાં સોનેરિયા બ્લોક પાસે આવેલા રૂના કારખાનામાં આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા 6 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. […]

અમદાવાદના નારણપુરાના એક ફ્લેટમાં ઉંદર દીવાની વાટ ખેંચી જતાં લાગી આગ,

અમદાવાદઃ શહેરના નારણપુરામાં વિઠ્ઠલ પટેલ કોલોનીમાં આવેલા પંચનિધિ એપોર્ટમેન્ટના એક ફ્લેટમાં આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો દાડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગમાં ઘર-વખરી વળીને ખાક થઈ ગઈ હતી. ઉંદર સળગતા દીવાની વાટ ખેચી જતાં  આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના નારણપુરામાં આવેલી […]

મનુષ્યની પ્રકૃતિ પોઝિટિવ થઈ જશે, તો ધરતીની પ્રકૃતિ પણ પોઝિટિવ થઈ જશે: આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં 15 મા પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. પર્યાવરણ, વિકાસ, માનવ અધિકાર અને સ્વચ્છ ભારત વિષય પર આધારિત ડૉક્યુમેન્ટરી ફિલ્મોના ફેસ્ટિવલને ખુલ્લો મુકતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પૃથ્વી, વાયુ, જળ, આકાશ અને અગ્નિ; પ્રકૃતિના આ પાંચ તત્વોથી બનેલા આપણા શરીરના સ્વાસ્થ્ય પર પ્રકૃતિની સીધી અસર છે. પ્રકૃતિ […]

અમદાવાદમાં છેલ્લા 26 દિવસમાં 1441 રખડતા ઢોર પકડાયાં, 12 લાખ દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પગલાં લેવાની તાકીદ કર્યા બાદ અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા પોલીસી બનાવીને રખડતા ઢોર પકડવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવ ટીમો દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઓક્ટોબરના છેલ્લા 26 દિવસમાં 1441થી વધુ પશુઓને પકડવામાં આવ્યા છે. […]

અમદાવાદમાં વધતુ જતું એર પોલ્યુશન, પગલાં નહીં લેવાય તો સ્થિતિ દિલ્હી જેવી બની જશે

અમદાવાદ: મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરમાં કૂદકે ને ભૂસકે વસતીમાં વધારો થઈ રહ્યો છે. બહારગામના અનેક લોકો ધંધા અને રોજગાર માટે આવીને શહેરમાં વસવાટ કરી રહ્યા છે. શહેરની વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. સાથે જ ઠેર ઠેર નવી બિલ્ડિંગો બની રહી છે. આવા બધા કારણોને કારણે શહેરમાં એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. […]

અમદાવાદમાં સાયબર ક્રાઈમનો કોન્સ્ટેબલ ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો

અમદાવાદઃ રાજ્યના પોલીસ વિભાગમાં પણ લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો છે. અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. કોન્સ્ટેબલે એક કેસમાં આરોપી સામે એફઆરઆઈ  નહીં કરવા અને ફેડરલ બેન્કનું ફ્રિજ કરેલું ખાતું  ખોલવા રૂપિયા 10 લાખની લાંચ માગી […]

અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં ઘટાડો, ઝાડા-ઊલટી અને ટાઈફોડના દર્દીઓમાં વધારો

અમદાવાદઃ શહેરમાં બપોરે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી એમ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સાથે જ શહેરમાં મચ્છરજન્ય રોગમાં ઘટોડો નોંધાયો છે. જો કે ડબલ સિઝનના કારણે વાયરલ ફીવર અને શરદી ઉધરસના કેસો પણ વધ્યા છે. ઉપરાંત ટાઈફોઈડ અને ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. આમ બહારના ખાણીપીણીમાં ભેળસેળ અને દૂષિત પાણીના કારણે […]

અમદાવાદની સાબરમતી જેલના સહાયકને કેદીના સગાઓએ હુમલો કરીને મારમાર્યાની ફરિયાદ

અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી ગણાતી અમદાવાદની  સાબરમતી જેલમાં કેદીઓ અને જેલના સિપાઈઓ વચ્ચે અવાર-નવાર માથાકૂટ તો થતી હોય છે. ત્યારે જેલના સહાયક પર કેદીના સગાઓએ મારામારી કરી હતી. એટલું જ નહીં છરીથી પણ હુમલો કર્યો હતો. આ બનાવની જેસ સહાયક દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code