1. Home
  2. Tag "air force"

વાયુસેનાના વડા અમર પ્રીત સિંહે ઉત્તરીય ક્ષેત્રમાં આગળના મોરચાઓની મુલાકાત લીધી

નવી દિલ્હી, 9 જુલાઈ 2027: ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ઉત્તરીય ક્ષેત્રમાં આગળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં તૈનાત લશ્કરી એકમોની ઓપરેશનલ તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન, તેમણે વિશ્વના સૌથી મુશ્કેલ અને પડકારજનક વાતાવરણમાંના એકમાં તૈનાત હવાઈ યોદ્ધાઓ સાથે મુલાકાત કરી અને તેમની કાર્યક્ષમતા, વ્યાવસાયીકરણ અને સમર્પણની પ્રશંસા […]

એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરાયું

[અલકેશ પટેલ]  એર ફોર્સ સ્ટેશન વડોદરા, 30 જૂન, 2026 – એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા આત્મનિર્ભર ભારત સંદર્ભે 30 જૂનને મંગળવારે ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આત્મનિર્ભર ભારત‘ ના રાષ્ટ્રીય વિઝનને સમર્થન આપવા માટે ભારતીય વાયુસેના અને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ વચ્ચેના સહયોગને મજબૂત કરવાના હેતુથી એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા આ ઇન્ડસ્ટ્રી આઉટરીચ […]

NEET-UG પરીક્ષા માટે દેશમાં ચક્રવ્યૂહ જેવી સુરક્ષા: વાયુસેનાના હેલિકોપ્ટરથી પહોંચશે પેપર

નવી દિલ્હી, 9 જૂન 2026: મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET-UG ની પરીક્ષાને પેપરલીકથી બચાવવા માટે કેન્દ્ર સરકારે અભૂતપૂર્વ અને ઐતિહાસિક સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે. આ વખતે પરીક્ષાના પ્રશ્નપત્રો દિલ્હીથી દેશના 18 અલગ-અલગ લોકેશન પર ભારતીય વાયુસેનાના શક્તિશાળી ‘Mi-17’ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવશે. ત્યાંથી આ પ્રશ્નપત્રોને સેનાના લોજિસ્ટિક સેન્ટર અને […]

સોમનાથમાં વાયુસેના દ્વારા છ ફાઇટર જેટ સાથે દિલધડક ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે

સોમનાથ, 9 મે 2026: Air Force to hold thrilling ‘Suryakiran Air Show’ with six fighter jets પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ શિવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ પર્વ સાથે પ્રભાસક્ષેત્રમાં અનેક ઈતિહાસ રચાવા જઈ રહ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર  સોમનાથમાં ૧૧મી મેના રોજ […]

વાયુસેનાની ઘાતક ક્ષમતામાં વધારો થશે: 1000 કિલોના સ્વદેશી સુપર બોમ્બથી દુશ્મનના બંકરો થશે તબાહ

નવી દિલ્હી, 7 એપ્રિલ 2026: ભારતીય વાયુસેનાની પ્રહાર ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે રક્ષામંત્રાલયે એક મહત્વકાંક્ષી બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ હવે વાયુસેનાને 1000 કિલોગ્રામ વજનના અત્યંત શક્તિશાળી સ્વદેશી એરિયલ બોમ્બથી સજ્જ કરવામાં આવશે. મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે ‘એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ જાહેર કરી દીધું છે, જે ભારતના સંરક્ષણ ઈતિહાસમાં એક […]

ઈરાન સંબંધી સૈન્ય અભિયાન દરમિયાન અમેરિકાની વાયુસેનાનું હવાઇ રિફ્યૂલિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

તહેરીન, 13 માર્ચ 2026: પશ્ચિમ ઈરાકમાં ઈરાન સંબંધી સૈન્ય અભિયાન દરમિયાન અમેરિકાની વાયુસેનાનું હવાઇ રિફ્યૂલિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાના તાત્કાલિક પછી બચાવ ટીમોએ શોધ ખોળ અભિયાન શરૂ કર્યું છે અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં. સેન્ટ્રલ કમાન્ડે […]

વાયુસેનાનું સુખોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત: બંને પાયલટના મોત, ઉડાન ભરતા જ સંપર્ક તૂટ્યો હતો

નવી દિલ્હી, 6 માર્ચ 2026: ભારતીય વાયુસેનાનું એક ફાઈટર જેટ સુખોઈ-30 આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગોઝારી ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટના મોત નીપજ્યા છે. વાયુસેનાના પ્રવક્તાએ શુક્રવારે સવારે વિમાન ક્રેશ થવાની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં વિમાનના બંને પાયલટ – સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પ્રવેશ દુર્ગાકર […]

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ સરહદી ગામોની સુરક્ષા સમીક્ષા માટે કચ્છ જશે

ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – State Police Chief Dr. K.L.N. Rao રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની […]

સંરક્ષણ સચિવે ભુજની મુલાકાત લીધી, આંતરમાળખાકીય વિકાસ – ક્ષમતા નિર્માણ પહેલની સમીક્ષા કરી

ભુજ, 06 ફેબ્રુઆરી, 2026 – Defence Secretary visits Bhuj સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંઘે 04-05 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભુજની મુલાકાત લીધી હતી અને સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM) તથા કોણાર્ક કોર્પ્સના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ક્રીક સેક્ટરના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને ઓપરેશનલ […]

પઠાણકોટઃ વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ પંજાબના પઠાણકોટમાં, વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું. પાયલોટ અને અન્ય સૈનિકો સુરક્ષિત છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરે, શુક્રવારે પઠાણકોટ એરબેઝથી ઉડાન ભરી હતી. હલેડા ગામ નજીક પહોંચતા જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કટોકટી જોઈને પાયલોટે તેને ખેતરમાં ઉતારી દીધું. આ ઘટનાની જાણ થતાં જ સેના અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code