1. Home
  2. Tag "ambaji"

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ, 3 દિવસમાં 4 લાખ ભાવિકોએ લાભ લીધો

અંબાજી,  2 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ત્રિ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રવિવારે પૂર્ણ થયો છે. પરિક્રમાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સાથે ત્રણ દિવસમાં કુલ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ પૂનમને લઇ મા અંબાજી મંદિર પણ માઇભક્તોથી ઉભરાઇ ગયું હતુ. આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ […]

અંબાજીમાં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો પ્રારંભ

અંબાજી, 30 જાન્યુઆરી 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે શુક્રવારથી ત્રિદિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે. ‘બોલ માડી અંબે’ જય અંબે ના નાદ સાથે ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને પાલખી યાત્રા નીકળી છે. ત્યારે પાલખીયાત્રામાં […]

યાત્રાધામ અંબાજીમાં 15મી જાન્યુઆરીએ નાગા સાધુઓ સૂર્યોદય સમયે શાહી સ્નાન કરશે

અંબાજી, 11 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે  શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા ભવ્ય સાધુ મહામેળાનું આયોજન કરાયુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી તા 15 જાન્યુઆરી સુધી દેશભરના હજારો નાગા સાધુઓ અને સન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થઈ શાહી સ્નાનમાં ભાગ લેશે. આ મહામેળાને લઈને અંબાજીમાં સાધુ-સંતોનો […]

અંબાજીમાં 30મી જાન્યુઆરીથી ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

અંબાજી,8 જાન્યુઆરી 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રિ- દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026’ યોજાશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે.આ મહોત્સવના સુચારુ આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર […]

બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અંબાજીથી જનજાતિય ગૌરવ યાત્રાનો CMએ કરાવ્યો શુભારંભ

ગૌરવ યાત્રા સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, અંબાજી ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ પર આ ભવ્ય કાર્યક્રમ યોજાયો, CMને રજૂઆત કરવા પહોંચે એ પહેલાં આદિવાસી આગેવાનોની અટકાયત અંબાજીઃ  ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી અને ‘જનજાતિય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેથી મહત્ત્વપૂર્ણ ‘જનજાતિય ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું […]

યાત્રાધામ અંબાજીમાં આજે દેવ દિવાળીએ ભાવિકો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારાયું, મંગળા આરતી માટે વહેલી પરોઢે 4 વાગ્યાથી ભાવિકોની લાઈનો લાગી, પૂનમના દિવસે અંબાજી માતાજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે, અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે દેવ દિવાળીના દિને માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે મંગળા આરતીમાં જોડાવા માટે ભક્તો […]

અંબાજીમાં દિવાળીના 5 દિવસમાં 8 લાખથી વધુ યાત્રિકોએ મા અંબાના દર્શન કર્યા

અંબાજીના ભંડારામાં સવા કરોડ કરતા વધુ આવક થઈ, ત્રણ લાખથી વધુ મોહનથાળ પ્રસાદના પેકેટોનું વિતરણ થયુ, ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અંબાજીઃ શક્તિપીઠ ગણાતા યાત્રાધામ અંબાજી દિવાળીના તહેવારો દરમિયાન ભક્તોની શ્રદ્ધા અને ભક્તિથી છલકાયું હતું. મા અંબાના દર્શન કરવા દિવાળીના પાંચ દિવસ દરમિયાન આશરે 8 લાખથી વધુ યાત્રિકો અંબાજી ખાતે […]

આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ચાચરચોકમાં ભાવિકો ગરબે ઘૂમ્યાં

અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયુ, નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા, મંદિરના હવન શાળામાં ભાવિકોએ માતાજીની આરાધના કરી અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રીના આજે પ્રથમ દિવસે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના આજે અંતિમ દિવસે મેઘરાજાએ ભાવિકોને ભીંજવ્યા

અંબાજીના મહામેળામાં 7 દિવસમાં 36 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા, રવિવારે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી, ગ્રહણને લીધે સાંજે 5થી દર્શન બંધ કરાયા અંબાજીઃ માતા શક્તિના હૃદય સ્થાન સમાં યાત્રાધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો આજે રવિવારે અંતિમ દિવસ હતો. ભાદરવી પૂનમના મહામેળાના 7 દિવસમાં 36 લાખથી વધુ ભક્તોએ […]

અંબાજીમાં ભદરવી પૂનમના મેળામાં ચોથા દિવસે 7 લાખ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા

અંબાજી જતા તમામ માર્ગો પદયાત્રીઓના ઊભરાયા, ચાર દિવસમાં કુલ 43 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી, 360 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદી માતાને અર્પણ કરાયું, અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળામાં લાખેની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. અંબાજી જતા તમામ માર્ગે પર મોટી સંખ્યામાં પદયાત્રિઓ જોવા મળી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code