1. Home
  2. Tag "ambaji"

આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ચાચરચોકમાં ભાવિકો ગરબે ઘૂમ્યાં

અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયુ, નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા, મંદિરના હવન શાળામાં ભાવિકોએ માતાજીની આરાધના કરી અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રીના આજે પ્રથમ દિવસે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના આજે અંતિમ દિવસે મેઘરાજાએ ભાવિકોને ભીંજવ્યા

અંબાજીના મહામેળામાં 7 દિવસમાં 36 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા, રવિવારે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી, ગ્રહણને લીધે સાંજે 5થી દર્શન બંધ કરાયા અંબાજીઃ માતા શક્તિના હૃદય સ્થાન સમાં યાત્રાધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો આજે રવિવારે અંતિમ દિવસ હતો. ભાદરવી પૂનમના મહામેળાના 7 દિવસમાં 36 લાખથી વધુ ભક્તોએ […]

અંબાજીમાં ભદરવી પૂનમના મેળામાં ચોથા દિવસે 7 લાખ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા

અંબાજી જતા તમામ માર્ગો પદયાત્રીઓના ઊભરાયા, ચાર દિવસમાં કુલ 43 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી, 360 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદી માતાને અર્પણ કરાયું, અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળામાં લાખેની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. અંબાજી જતા તમામ માર્ગે પર મોટી સંખ્યામાં પદયાત્રિઓ જોવા મળી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે […]

અંબાજી: ભાદરવી પૂનમના મેળામાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

ગાંધીનગર: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પહોંચી ચૂક્યા છે. પગપાળા આવતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સેવા કેમ્પોમાં યાત્રિકો માટે સુવિધાઓ પગપાળા જતા યાત્રિકોને આ […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિકો માટે 30 લાખ પ્રસાદના પેકેટ બનાવવાનો પ્રારંભ

ભાદરવી પૂનમ મેળામાં પ્રસાદ માટે 27થી વધુ પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરાશે, 750 કારીગરો દ્વારા રાત-દિવસ મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે, મેળામાં 30થી 40 લાખ ભક્તો મા અંબાના દર્શન કરવા આવે એવી શક્યતા અંબાજીઃ શક્તિપીઠ અંબાજી ખાતે આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ મેળા […]

અંબાજીઃ ભાદરવી પૂનમ માટે 5500 વધારાની બસો દોડાવાશે

ગાંધીનગરઃ અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ મળે તે માટે આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે ભાદરવી પૂનમના મેળામાં એસ.ટી. નિગમે 5100 વધારાની બસો દ્વારા […]

અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શને પગપાળા જતા યાત્રાળુંઓ માટેના સેવા કેમ્પો શરૂ થયા

સેવા કેમ્પોમાં શૌચાલયો અને સ્નાનગૃહની વ્યવસ્થા, અંબાજીમાં તા.1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે, મેળામાં પાર્કિંગ સુવિધા માટે અનોખી વ્યવસ્થા અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. જિલ્લા કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે […]

યાત્રાધામ અંબાજીમાં કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી 18 કિલો વજનના ચાંદીના થાળાની ચોરી

પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાથી શિવભક્તોમાં રોષ, ચાંદીનું થાળું 15 દિવસ પહેલાં જ એક ભક્તે શિવલિંગ પર અર્પણ કર્યુ હતુ, ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલા પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં થાંદીના થાળાની ચોરીનો બનાવ બનતા શિવભક્તોમાં રોષ અને નિરાશા ફેલાઈ છે. કોટેશ્વર મહાદેવજીના મંદિરમાં ગત રાત્રિના સમયે […]

અંબાજીમાં ભારવી પૂનમ માટે 900 પદયાત્રી સંઘો અને 303 સેવા કેમ્પ નોંધાયા

ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ, સેવા કેમ્પોમાં કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે, ભાદરવી પૂનમના મેળામાં 5000 પોલીસનો બંદોબસ્ત મુકાશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, મોટાભાગના યાત્રિકો પગપાળા ભાદરવી પૂનમે માતાજીના દર્શન માટે આવતા […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની આગોતરી વ્યવસ્થાની સમીક્ષા, જરૂરી સુચનો કરાયા

અંબાજીમાં1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળો યોજાશે, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારે અંબાજીમાં અધિકારીઓની સાથે શ્રેણીબદ્ધ મીટિંગો કરી, રીંછડિયા મહાદેવ અને તેલિયા ઇકો ટ્રેલના વિકાસકાર્યોની પણ સમીક્ષા કરાઈ  અંબાજીઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હાઈ પ્રાયોરિટી એટલે કે ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાના એક નવા ઉપક્રમનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીના આ જ ઉપક્રમને હવે ઉચ્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code