1. Home
  2. Tag "amit shah"

આતંકી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન એ મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા છે. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો પર દુર્વ્યવહાર કરનારા તમામ લોકોને પરત લાવવાની જવાબદારી ભારત સરકારની છે. એક ખાનગી ટીવી ચેનલ પર બોલતા અમિત શાહે કહ્યું કે, તહવ્વુર રાણાને ભારતીય […]

સરકાર જમ્મુ -કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થાપિત કરવા અને આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે શ્રીનગરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ-સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, નિદેશક (આઇબી), સેનાનાં પ્રમુખ, જીઓસી-ઇન-સી (નોર્ધન કમાન્ડ), જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય સચિવ અને ડીજીપી, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)નાં વડાઓ […]

સરકાર સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થતી ઘૂસણખોરીને રોકવા માટે ભૂગર્ભ ક્રોસ બોર્ડર ટનલ શોધી કાઢવા અને તોડી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર આઉટપોસ્ટ ‘વિનય’ ની મુલાકાત દરમિયાન […]

અમિત શાહ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે કઠુઆમાં બોર્ડર આઉટપોસ્ટ ‘વિનય’ની લેશે મુલાકાત… જમ્મુના રાજભવનમાં શહીદ પોલીસકર્મીઓના પરિજનો સાથે મુલાકાત કરી તેમને નિયુક્તિ પત્રો કરશે એનાયત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસીય જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. જેમાં આજે બીજા દિવસે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB)ની મુલાકાત લેશે અને આતંકવાદીઓ સાથેના તાજેતરના […]

લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થતાં જ કોંગ્રેસનો હંગામો શરૂ, અમિત શાહે તરત જ જવાબ આપ્યો

લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ રજૂ થતાની સાથે જ કોંગ્રેસે લોકસભામાં હંગામો શરૂ કરી દીધો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તેમને ગઈકાલે (1 એપ્રિલ) બપોરે બિલ મળ્યું હતું, જેના કારણે તેમને સુધારા રજૂ કરવાનો સમય મળ્યો ન હતો. કોંગ્રેસના આ આરોપનો ગૃહમંત્રી અમિત શાહે તરત જ જવાબ આપ્યો. કેવી […]

નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થયોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને છ થઈ હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નક્સલવાદ પ્રત્યે નિર્દય અભિગમ અપનાવીને અને સર્વાંગી વિકાસ માટે અથાક મહેનત કરીને “મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત”નું નિર્માણ કરી રહી છે. તેમણે કહ્યું […]

દિલ્હી NCRમાં 27.4 કરોડના નાર્કોટિક્સ જપ્ત : અમિત શાહ

નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ અને એનસીબીની કામગીરીની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત […]

લાલુ પ્રસાદ યાદવે ઘાસચારા કૌભાંડ આચરી બિહારને બદનામ કર્યું : અમિત શાહ

પટનાઃ બિહારના પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એ લાલુ પ્રસાદ યાદવ, તેમની પાર્ટી અને તેમના શાશન કાળને આડે હાથ લીધા સાથેજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરી અને આરજેડી પર પણ નિશાન સાધ્યું.તેમણે સ્પષ્ટપણે કહ્યું કે લાલુ યાદવે ઘાસચારા કૌભાંડ કરીને બિહારને બદનામ કરવાનું કામ કર્યું છે. આરજેડીના શાસનને જંગલ રાજ […]

પશ્ચિમ બંગાલમાં બાંગ્લાદેશીઓ મામલે મમતા બેનર્જી ઉપર અમિત શાહે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 પર બોલતી વખતે બંગાળ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે બંગાળ સરકાર પર ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ માટે જમીન ન આપવાનો અને ઘુસણખોરો પ્રત્યે દયા દાખવવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભામાં બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બાંગ્લાદેશ સાથેની આપણી સરહદ 2216 કિમી […]

રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code