રાજુલામાં એસટી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ટ્રીપલ અકસ્માત, 3ના મોત
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક એસટી બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. આ દૂર્ઘટનામાં બાઈક ચાલકને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. […]