કોરોના સંકટઃ અમદાવાદ શહેરમાં હવે AMTS-BRTS બસ 50 ટકા ક્ષમતા સાથે દોડશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને પણ કોરોનાની ગાઈડ લાઈનનું લોકો ચુસ્તતાથી પાલન કરે તેની તાકીદ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મ્યુનિ.ના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. […]


