1. Home
  2. Tag "budget"

કેન્દ્રીય મંત્રીમંડળમાં બજેટને મળી મંજુરી

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23મી જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. આ બજેટમાં કરદાતાઓ નાણામંત્રી પાસેથી કેટલીક મોટી રાહતની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. બજેટને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં […]

રાજસ્થાનમાં લાખો ઉપર થશે ભરતી, બજેટમાં ભજનલાલ શર્મા સરકારની જાહેરાત

જયપુરઃ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે યુવાનોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રી દિયા કુમારીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ચાર લાખ ભરતી થશે અને આ વર્ષે એક લાખ ભરતી કરવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ યુવા નીતિ 2024ની જાહેરાત કરી છે. તેમણે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં 10 લાખ રોજગાર અને ભરતીની જાહેરાત કરી […]

1 જૂલાઇએ નિર્મલા સિતારમણ રજુ કરશે પૂર્ણ બજેટ, જાણો નોકરિયાત વર્ગને કઇ રાહત મળવાની છે આશા ?

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન, 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ હવે સંપૂર્ણ બજેટ નવી સરકાર રજૂ કરશે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા છે કે સરકાર 1 જુલાઈ, 2024 ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ […]

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું 2024 -25નું 4.52 કરોડનું બજેટ મંજૂર કરાયું

અમદાવાદઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક યોજાઇ હતી જેમાં વર્ષ 2024- 25 અંદાજ પત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખર્ચના બજેટમાં વધારા સાથે કુલ 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 123.55 કરોડનો ખર્ચ બાદ કરતાં 4.52 કરોડ […]

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનું બજેટ કે ‘તુષ્ટિકરણનો પટારો’, સિદ્ધારમૈયાએ વક્ફ બોર્ડ-ખ્રિસ્તીઓ માટે ખોલ્યો ખજાનો

બેંગાલુરુ: કર્ણાટક બજેટમાં ભાજપે રાજ્યની કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી સિદ્દારમૈયાના બજેટમાં તુષ્ટિકરણની ઘોષણાઓ હોવાનો આરોપ લગાવીને ભાજપે તેના વિરોધમાં વોકઆઉટ કર્યું છે. તેના પહેલા ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો કર્યો હતો. સિદ્ધારમૈયાની સરકારે 2024-25માં વક્ફ બોર્ડ અને ખ્રિસ્તીઓ માટે ઘણાં મોટા એલાનો કર્યા છે. જ્યારે હિંદુ મંદિરોને લઈને બજેટમાં કોઈ ખાસ ફાળવણીનો […]

ઉત્તર પ્રદેશ સરકારે રૂ. 7.36 લાખ કરોડનું બજેટ રજુ કર્યું, લખનૌમાં એરો સિટી વિકસાવવાની જાહેરાત

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે બજેટ રજુ કર્યું હતું. નાણા મંત્રી સુરેશ કુમાર ખન્નાએ 7.36 લાખ કરોડનું બજેટ રજુ કર્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસ અને ગરીબો-ખેડૂતો અને મહિલાઓને સૌથી વધારે પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરાયો છે. રાજ્યમાં રોજગારીની નવી તકો ઉભી થાય અને મૂડી રોકાણ વધે તે માટે વિવિધ યોજનાઓની પણ જાહેરાત […]

ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપતુ ગુજરાતનું બજેટઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ […]

અલગ દેશ બને દક્ષિણ ભારત!: કર્ણાટકના ડેપ્યુટી સીએમના સાંસદ ભાઈનું વાંધાજનક નિવેદન

નવી દિલ્હી: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે ગુરુવારે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે દક્ષિણ ભારતને અન્યાય થઈ રહ્યો છે. જે ધનરાશિ દક્ષિણ સુધી પહોંચવી જોઈતી હતી, તેને ડાયવર્ટ કરીને ઉત્તર ભારતમાં વિતરિત કરાય રહી છે. આ દરમિયાન તેમણે […]

ગુજરાત સરકરે 3.32 લાખ કરોડનું બજેટ રજુ કરાયું, અનેક પ્રજાલક્ષી જાહેરાતો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રૂ. 3,32,4654 કરોડનું બજેટ રજુ કર્યું છે. આ બજેટ રાજ્યનું સૌથી વધારે હોવાનું મનાય રહ્યું છે. આ ઉપરાંત 10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ હતી. આ યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક ન્યાય અધિકાર વિભાગ માટે રૂ. 6193 કરોડની જોગવાઈ […]

આગામી ટર્મમાં મોદી સરકાર રિપીટ થાય, તો વસ્તી નિયંત્રણનો કાયદો ટોચની પ્રાથમિકતા હશે? બજેટીય ભાષણમાં સંકેત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વચગાળાના બજેટમાં વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જના આકલન માટે એક કમિટીની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કમિટી પાસે ઉચ્ચાધિકાર હશે. કમિટી સરકારને આ સ્થિતિનો સામનો કરવા માટે પોતાની ભલામણો આપશે. વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જથી પેદા થનારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code