1. Home
  2. Tag "canada"

કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે આરોપ લગાવ્યો છે કે કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે. ભારતે કડક ચેતવણી આપી છે કે આનાથી દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામો આવશે. ભારતનું તાજેતરનું નિવેદન કેનેડામાં સુરક્ષા અંગેની સ્થાયી સમિતિની સુનાવણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના નામના સંદર્ભમાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર […]

કેનેડાએ અમેરિકન મીડિયાને નિજ્જર કેસ સંબંધિત માહિતી લીક કરી, ટ્રુડોના સલાહકારનો ખુલાસો

નવી દિલ્હીઃ કેનેડા સરકારના ટોચના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમણે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધિત કેસની માહિતી અમેરિકન મીડિયાને લીક કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કેનેડાની સરકારને પણ આ વાતની જાણ હતી અને અમેરિકન મીડિયામાં લીક થયેલી માહિતી વિશે કેનેડાની જનતાને પણ જાણ કરવામાં આવી ન હતી. અહેવાલો અનુસાર, કેનેડાના […]

ટ્રુડો સરકારના આ જાહેરાતથી કેનેડામાં વસવાટ કરતા અનેક ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ કેનેડાને અત્યાર સુધી આપડે ડ્રીમ ડેસ્ટીનેશન તરીકે જોતા આવ્યા છે. પરંતુ ગુજરાતીઓ માટે એક કપરા કે પછી આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે જે મુજબ  કેનેડાની સરકારે  PRમાં 21% ના ઘટાડાની જાહેરાત કરી છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં 2024માં 1,20,000 પર્મનેન્ટ રેસીડેન્સી (PR)ની અરજીઓમાં કટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. […]

કેનેડાએ NIAને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર આપ્યું નથી

નવી દિલ્હીઃ ભારત-કેનેડા તણાવ વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)ના સૂત્રોએ જણાવ્યું કે, તેમને કેનેડામાંથી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર હજુ સુધી મળ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડાની સરકારે NIAને નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની વિનંતી પાછળનું કારણ પૂછ્યું છે. ગયા વર્ષે જૂનમાં સરેમાં ગુરુદ્વારાની બહાર તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ખાલિસ્તાની આતંકવાદી […]

કેનેડાએ ભારતીય રાજદ્વારીઓ પર લગાવેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથીઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે કેનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ પર લાગેલા આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના ફોરેન ઈન્ટરફેન્સ કમિશન સમક્ષ આપેલા નિવેદન પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રીનું નિવેદન એ વાતની પુષ્ટિ કરે છે કે ભારત હંમેશા […]

ન્યૂયોર્કમાં યહુદીઓની મોટા પાયે હત્યા કરનારાના ISના કાવતરાનો પર્દાફાશ

કેનેડામાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકની ધરપકડ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ આતંકીની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન ISISના ઈશારાથી ન્યૂયોર્ક શહેરમાં હુમલાની યોજના ઘડવાના આરોપસર કેનેડામાં વસવાટ કરતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં રહેતા 20 વર્ષીય મોહમ્મદ […]

બ્રિટન, કેનેડા, ફ્રાન્સ અને અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયેલ જે અત્યાર સુધી હમાસના આતંકવાદીઓ સામે લડી રહ્યું હતું, તેણે હવે કુખ્યાત આતંકવાદી જૂથ હિઝબુલ્લા સાથે આકરી લડાઈ લડવી પડશે. મધ્ય પૂર્વમાં ગહન કટોકટી અને વ્યાપક સંઘર્ષની આશંકાઓ વચ્ચે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઇઝરાયેલ અને ત્યાંથી ઉડાન ભરવાવાળી ઘણી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ઈરાન, લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલની […]

ખાલિસ્તાનીઓ મામલે કેનેડાને તેની ભાષામાં ભારતનો જવાબ

નવી દિલ્હીઃ ખાલિસ્તાન મામલે ભારત સરકારની અનેક વિનંતીઓ અને સૂચનો બાદ પણ કેનેડાનો ખાલિસ્તાન તરફી પ્રેમ ઓછો થતો જોવા મળતો નથી. કેનેડાની સરકાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓને આકર્ષવાની કોઈ તક છોડતી નથી. તાજેતરનો મામલો હરદીપ સિંહ નિજ્જરનો છે. વાસ્તવમાં કેનેડાની સંસદમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની યાદમાં મૌન પાળવામાં આવ્યું હતું, જેના જવાબમાં ભારતે પણ કેનેડાને આ જ […]

નિજ્જર હત્યા કેસમાં કેનેડા તરફથી હજુ સુધી માહિતી આપવામાં આવી નથીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડાની તપાસના ધમધમાટ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતને આ મામલે કેનેડા તરફથી હજુ સુધી એવું કંઈ મળ્યું નથી જેના આધારે એજન્સી તપાસ કરી શકે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, જો કેનેડાને આ મામલે કોઈ હિંસા સંબંધિત માહિતી છે તો ભારત તેની […]

ભારતે અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને રાજકીય સ્થાન આપવા બદલ કેનેડાની ટીકા કરી

નવી દિલ્હીઃ ભારતે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેની તાજેતરની ટિપ્પણીને ફગાવી દીધી છે, જેમાં કહ્યું છે કે તેઓ કેનેડાની અંદર અલગતાવાદ અને હિંસા માટે ચિંતાજનક સહિષ્ણુતા દર્શાવે છે. આ અસ્વીકૃતિ નવી દિલ્હીમાં MEA પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા મીડિયા બ્રીફિંગ દરમિયાન જોવા મળી, જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી ટિપ્પણીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code