વઢવાણ તાલુકાની નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ખેરવા ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના કેટલાક તાલુકાઓમાં નર્મદા યોજના કેનાલનો સારોએવો લાભ મળતા કૃષિ ઉત્પાદમાં પણ વધારો થયો છે. જોકે પેટા કેનાલમાં જરૂરિયાતના સમયે જ પાણી છોડવામાં આવતું ન હોવાની પણ ખેડુતોમાં ફરિયાદો ઊઠી છે. વઢવાણ તાલુકાના ખેરવા ગામના ખેડુતો રવિપાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોએ ખાલી કેનાલમાં ઉતરીને વિરોધ કર્યો હતો. […]