1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો દીયોદર પ્રાંત કચેરીએ ઘરણાં કરાશે
સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો દીયોદર પ્રાંત કચેરીએ ઘરણાં કરાશે

સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો દીયોદર પ્રાંત કચેરીએ ઘરણાં કરાશે

0
Social Share

પાલનપુર : ઉનાળાની અસહ્ય ગરમીમાં બનાસકાંઠાના અનેક ગામડાંમાં પીવાના પાણી સમસ્યા ઊભી થઈ છે. સાથે જ કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકામાં ખેડુતો સિંચાઈના પાણી માગ કરી રહ્યા છે. કેનાલમાં અગાઉ પાણી છોડવાની ખાતરી આપી હતી. પણ તંત્રએ ખેડુતોની વાત ન સાંભળતા હવે આ વિસ્તારના ખેડુતો આંદોલનનું રણશિંગું ફુકવાની તૈયારીઓ કરી રહ્યા છે.  જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલન કરશે. જેને લઈને ખેડૂતો ગામડે-ગામડે ફરીને બેઠકો કરી ગામડાઓમાં ઢોલ વગાડીને ખેડૂતોને જાગૃત કરીને બેનરો લગાવી રહ્યા છે. આગામી તા, 4 મેંના રોજ દિયોદર પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને પહોંચવાનું આહવાન કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેતી અને પશુપાલન ઉપર આધારીત બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ખુબજ ઊંડા જવાથી પાણીનું સંકટ ઉભું થયું છે. જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. તો બીજી બાજુ જિલ્લાના કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે જળ આંદોલનના માર્ગે વળ્યાં છે. જેને લઈને મોટી સંખ્યા ખેડૂતો જળ આંદોલનમાં જોડાય તે માટે ખેડૂતો 100 જેટલા ગામડાઓમાં જઈ રહ્યા છે. અને ગામડાઓમાં જળ નહિ તો વોટ નહિના બેનરો લગાવીને ઢોલ વગાડી ગામના ખેડૂતોને જળ આંદોલન માટે જાગૃત કરી ખેડૂતો સાથે બેઠકો કરી રહ્યા છે. જેમાં દરેક ગામડાઓના ખેડૂતો અને લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. અનેક ગામડાઓમાં ખેડૂતોએ બેઠકો કરી આગામી 4 મેંના જળ આંદોલનની શરૂઆત કરીને દિયોદર પ્રાંત કચેરીએ જ્યાર સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહિ છોડાય ત્યાર સુધી ધરણા ઉપર બેસવાનો નિર્ણય કર્યો છે. લાખો ખેડૂતોને જળ આંદોલનમાં જોડાવવા આહવાન કર્યું છે.

દીયોદરના ખેડુત અગ્રણીએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાય તે માટે અમે જળ આંદોલન કરીશું. આગામી 4 તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ધરણા કરીશું. જળ આંદોલન માટે ગામડે ગામડે બેનરો લગાવવામાં આવી રહ્યા છે. પાણી લઈને જ જમ્પીશું. ખેતી માટે તો ઠીક પણ પીવા માટે પણ પાણી નથી. ખેડૂતને કઇ રીતે જીવવું એટલે અમારે ના છૂટકે આંદોલન કરવું પડે છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવાની માંગ સાથે ખેડૂતોએ જળ આંદોલનનું રણશીગુ ફુક્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code