1. Home
  2. Tag "candidates"

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન આજે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. ઉમેદવારોએ સમર્થકો સાથે વિશાળ રેલી યોજ્યા બાદ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન યોજાશે. આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યોમાં વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા આશરે 200 ફરિયાદો નોંધાઈ

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ઇસીઆઈએ તેની કામગીરીના પ્રથમ મહિના દરમિયાન આદર્શ આચારસંહિતા (એમસીસી)ના અમલીકરણને જાહેર ડોમેનમાં મૂકવાનો નિર્ણય લીધો છે, જેમાં કરવામાં આવેલી કાર્યવાહીની કેટલીક વિગતો સાથે, જેથી ચોક્કસ ક્ષેત્રોમાંથી ક્યારેક ગેરસમજો અને આરોપો આવે,  ભલે તે નાનું હોય કે મર્યાદિત હોય, તેને સંબોધવામાં આવે છે અને તેને અટકાવવામાં આવે છે. નીચે મુજબની સ્થિતિ, સંહિતાના બાકીના સમયગાળા […]

ઈલેક્શન કમિશનઃ સુવિધા પોર્ટલ પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની 73 હજારથી વધુ અરજીઓ આવી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા (MCC) ના અમલીકરણ પછી ભારતના ચૂંટણી પંચના સુવિધા પ્લેટફોર્મની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. પોર્ટલને રાજકીય પક્ષો અને ઉમેદવારો તરફથી 73,000 થી વધુ અરજીઓ મળી છે, જેમાંથી 44,600 અરજીઓ પહેલાથી જ મંજૂર કરવામાં આવી […]

ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોને વિવાદાસ્પદ ટીપ્પણીથી દૂર રહેલા હાઈકમાન્ડે આપી સુચના

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી આગામી તા.7મીમે નારોજ યોજાશે. ભાજપએ તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અને ઉમેદવારો સભાઓ યોજીને પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. ઘણીવાર ઉમેદવારો ભારે ઉત્સાહમાં કે જોશમાં આવી જઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરતા હોય છે. તાજેતરમાં રાજકોટના લોકસભાની ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ […]

લોકસભા ચૂંટણીઃ શિવસેના(યુબીટી)એ 17 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

મુંબઈઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ બનાવી છે. તેમજ ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ બનાવી છે. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી) એ, બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં કુલ 22 સીટો પર ચૂંટણી લડશે. શિવસેના ટૂંક સમયમાં બાકીની પાંચ […]

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકોની સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર પણ તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. દરમિયાન ભાજપાએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાએ વિધાનસભાની પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણી, ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક ઉપર સી.જે.ચાવડા અને […]

લોકસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશ અને તંલગાણા સાથે મધ્યપ્રદેશમાં પણ બસપા ઉમેદવારો ઉભા રાખશે

લખનૌઃ ઉત્તર પ્રદેશ અને તેલંગાણા બાદ માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. BSP આગામી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. આ સાથે મધ્યપ્રદેશમાં ચૂંટણીનો મુકાબલો પણ ત્રિકોણીય બની શકે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન દરમિયાન સપાએ મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, જેને કોંગ્રેસે […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યસભાના 56 સભ્યો આગામી દિવસોમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. જેને લઈને આ બેઠકો માટે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ચૂંટણી યોજાશે. ગુજરાતના ચાર સભ્યો પણ નિવૃત્ત થઈ રહ્યાં છે. આ બેઠકો માટે ભાજપાએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતમાંથી ઉમેદવારી કરશે. ભાજપાએ આજે રાજ્યસભા ચૂંટણીને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના સાત ઉમેદવારોના […]

રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાજકીય પ્રચાર તથા રેલીઓમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ સૂચનાઓમાં જણાવ્યા અનુસાર, ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં બાળ ભાગીદારી પર પ્રતિબંધ મુકાયો છે. રાજકીય પક્ષોને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવે છે કે, રેલીઓ, સૂત્રોચ્ચાર, પોસ્ટરો કે પત્રિકાઓનું વિતરણ કે ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પ્રવૃત્તિ સહિત કોઈપણ પ્રકારના ચૂંટણી પ્રચારમાં બાળકોને સામેલ ન કરવા. રાજકીય નેતાઓ અને ઉમેદવારોએ બાળકોને કોઈપણ રીતે પ્રચારની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવો […]

રામ મંદિરમાં પૂજારી બનવા માટે 3,000 લોકોએ કરી ઓનલાઈન અરજી,270 ઉમેદવારોની થઈ પસંદગી

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રસ્તાવિત અર્ચક તાલીમ યોજના માટે ઉમેદવારોએ સખત પરીક્ષણમાંથી પસાર થવું પડશે. તાલીમ યોજના માટે ત્રણ હજાર ઓનલાઈન અરજીઓ મળી હતી. તેમાંથી યોગ્યતાના આધારે 270 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી છેલ્લા બે દિવસ દરમિયાન અયોધ્યાના કારસેવકપુરમ ખાતે 132 ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા છે. ઇન્ટરવ્યુ લેનાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code