1. Home
  2. Tag "celebrated"

ગુજરાતમાં આજથી દર શનિવારે સ્કૂલોમાં ‘બેગલેસ ડે’ ઉજવાશે

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ 2022 અંતર્ગત ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવામાં આવશે. આજના શનિવારની 5મી જુલાઈ 2025થી ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે બાળકોમાં એક અલગ પ્રકારનો પરિવર્તન જોવા મળશે. અભ્યાસ ઉપરાંત, બાળકો નવા પ્રકારની પ્રવૃત્તિઓ શીખી […]

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભર ખાતે 11માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 30 માર્ચ, 2025 ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં “Yoga for One Earth, One Health” આપી હતી તેના અનુરૂપ શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભર ખાતે 21 જૂન ના રોજ 11 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન એ. ટી. પટેલ (પી. આઈ. ભાભર ), ડો. […]

પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં અસાધારણ મહિલાઓના યોગદાનની ઉજવણી કરી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહેલી મહિલાઓને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સોંપીને સમગ્ર ભારતમાં મહિલાઓના અપાર યોગદાનની ઉજવણીમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મોદીએ જણાવ્યું હતું કે સવારથી જ આપણે અસાધારણ મહિલાઓ દ્વારા પોતાની યાત્રાઓ દર્શાવતી અને અન્ય મહિલાઓને પ્રેરણા આપતી પ્રેરણાદાયી પોસ્ટ્સ જોઈ રહ્યા છીએ. […]

દુનિયાએ ઉજવ્યું નવું વર્ષ, તસવીરોમાં જુઓ ક્યા દેશમાં કેવી રીતે થઈ ઉજવણી?

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા તો કેટલીક જગ્યાએ લોકોએ ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરી હતી. નવા વર્ષ પહેલા ભારતમાં પણ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. તસવીરોમાં જુઓ વિશ્વભરમાં નવું વર્ષ કેવી રીતે ઉજવવામાં આવે […]

લાંચ રૂશ્વત સામેની લડાઈમાં પાછા ન પડશો, સરકાર તમારી સાથે છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિન યોજાયો, ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહાયક બનેલા નાગરિકોનું સન્માન કરાયુ,  લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પણ વિકાસના માર્ગનો અવરોધ છે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે ભ્રષ્ટ અને આચાર, જ્યારે […]

સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો

સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 29 વર્ષ પૂર્ણ થયા, 1લી ડિસેમ્બર 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંપૂર્ણ થયેલું સોમનાથ મંદિર દેશને સમર્પિત કર્યુ હતુ. દર વર્ષે 1લી ડિસેમ્બરનો દિન સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવાય છે સોમનાથઃ  સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 1લી ડિસેમ્બરના રોજ 29 વર્ષ થતા સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવણી કરવામાં આવી હતી. […]

પીએમ શ્રી કેવી કેન્ટ ખાતે સ્કાઉટ્સ અને ગાઈડ્સના ધ્વજ દિવસની ઉજવણી કરાઈ

અમદાવાદઃ પીએમ શ્રી કેવી કેન્ટ ખાતે સ્કાઉટ્સ અને ગાઈડ્સના ધ્વજ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક અને ગર્વ સાથે કરવામાં આવી હતી. કુલ 60 કબ્સ, બુલબુલ્સ, સ્કાઉટ્સ અને ગાઈડ્સ સાથે ચાર પ્રતિબદ્ધ નેતાઓ – સ્કાઉટ માસ્ટર, ગાઈડ કેપ્ટન, કબ માસ્ટર અને ફ્લોક લીડરે ઉજવણીમાં ભાગ લીધો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાચાર્ય શ્રી સચિન કુમાર રાઠોડના પ્રેરણાદાયી સંબોધનથી થઈ, જેમણે […]

ગીર ફાઉન્ડેશન 2 થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ ઉજવાશે

અમદાવાદઃ નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર પ્રતિ વર્ષ ‘ગીર’ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા તા.૨ થી ૮ ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે.  દર વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે […]

મઘરાત્રે ગુજરાતમાં જન્માષ્ટમીની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ

અમદાવાદઃ ગઈકાલ સવારથી ગુજરાતભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળે છે. ત્યારે ગઈકાલે જન્માષ્ટમીનો પણ પાવન પર્વ હતો. તો ગુજરાતમાં મેઘ કહેર હોવા છતાં, ગુજરાતવાસીઓએ હર્ષો ઉલ્લાસ અને આનંદથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો હતો.  તો દ્વારકામાં આખો દિવસ વરસતા વરસાદે પણ લોકો ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરી ભવ્ય […]

વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીતને લીધે અમદાવાદ સહિત તમામ શહેરોમાં મનાવાયો જશ્ન

અમદાવાદઃ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત થતાં ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં લોકો દ્વારા જશ્ન મવાવવામાં આવ્યો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત શહેરોમાં મોડી રાત્રે ક્રિકેટરસિયાઓએ રોડ પર એકઠા થઈને આતશબાજી કરીને ભારત માતા કી જય સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code