1. Home
  2. Tag "Celebrations"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના ઘરે પોંગલ તહેવારની ઉજવણી કરી

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોંગલ તહેવારની ઉજવણી કરી. આ પ્રસંગે પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના નિવાસસ્થાનની મુલાકાત લીધી અને ત્યાં પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરી. પ્રધાનમંત્રીએ પોંગલના તહેવાર પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ તહેવાર પ્રકૃતિ, પરિવાર અને સમાજ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો માર્ગ બતાવે છે. પીએમ મોદીએ […]

ગૌતમ અદાણીએ ભારતને પોતાનો વિકાસ માર્ગ સ્વયં નક્કી કરવા હાકલ કરી

પ્રી-પ્લેસમેન્ટ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપ અને અદાણી 3S માઇનિંગ એક્સેલન્સની ઘોષણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહની ઉજવણીમાં  અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ભારતે બાહ્ય પ્રભાવોથી મુક્ત વિકાસ માટે પોતાનો માર્ગ સ્વયં બનાવવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત […]

ગુજરાતભરમાં રામ નવમી પર્વની આનંદોલ્લાસ સાથે ઊજવણી, મહાનગરોમાં શોભાયાત્રા નીકળી

અમદાવાદમાં શોભાયાત્રામાં લવ જેહાદનો ફ્લોટ પોલીસે દૂર કરાવ્યો રાજકોટમાં રાધેશ્યામ ગૌ શાળા સહયોગથી શોભાયાત્રા નીકળી વહેલી સવારથી દર્શન માટે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી અમદાવાદઃ ગુજરાભરમાં આજે રામનવમીનું પર્વ ભારે આનંદોલ્લાસ સાથે ઊજવાયુ હતુ. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત મહાનગરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં અનેક ભાવિકો જોડાયા હતા. આજે સવારથી તમામ મંદિરોમાં […]

દુનિયાભરના આ દેશોમાં પણ ઉજવાય છે હોળી, દેખાય છે ભારતના સુંદર રંગો

રંગોના તહેવાર હોળીની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. હોળી આવતાની સાથે જ દરેક તેના રંગોમાં રંગાઈ જાય છે. હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી પણ સંબંધોમાં મધુરતા ઉમેરવાનો પણ તહેવાર છે. ભારતના દરેક ખૂણામાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતની હોળી, ખાસ કરીને વૃંદાવન અને બરસાનાની હોળી આખી દુનિયામાં પ્રખ્યાત છે. […]

દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિ અને PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ આજે 19મી ઓગસ્ટ સોમવારના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને દેશના તમામ મોટા નેતાઓએ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી વખતે આ પવિત્ર તહેવાર તમારા સંબંધોમાં નવી મધુરતા લાવે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ […]

રામનવમીએ ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર ઉજવણી કરાઈ

ખેડબ્રહ્માઃ આજે મયાઁદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુગાઁવાહીની તથા માતૃશક્તિ ના સહિયારા આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઈક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના ઓંકારેશ્વર મહાદેવ મંદિરે પૂણાઁહુતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા તેમની ટીમ દ્રારા ચુસ્ત બંદોબસ્ત […]

પોરબંદરમાં કિર્તિ મંદિર અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યિંતિની ઉજવણી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ગાંધી જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે કિર્તિ મંદિરમાં બાપુને શ્રદ્ધા સુમન અપર્ણ કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. […]

આંગણવાડી કેન્દ્રો ખાતે સુપોષણ મહિનાની ઊજવણી : સર્ગભા મહિલાઓને પોષણ આહાર અપાયો

ગાંધીનગરઃ રાજ્યના  53,029  આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણીના ભાગરૂપે સગર્ભા મહિલાઓ માટે સુપોષણ સંવાદ અને પોષણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપોષણ સંવાદ અંતર્ગત ધાત્રી માતાઓની હાજરીમાં સગર્ભા માતાઓની શ્રીમંત વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાળિયેર, ફળો, ગોળ, ખજુર અને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ જેવો સુપોષણ આહાર સગર્ભા માતાઓને આપવામાં આવ્યો હતો. […]

ગુજરાતમાં રક્ષાબંધન પર્વની ઉજવણીઃ મુખ્યમંત્રીને મહિલા ધારાસભ્યોએ રાખડી બાંધી

અમદાવાદઃ રાજ્યમાં આજે રક્ષાબંધન પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લીધું હતું. આ ઉપરાંત ભૂદેવોએ જનોઈ બદલીને નારિયેલીપૂર્ણિમાની ઉજવણી કરી હતી. શ્રાવણ મહિનાની પૂનમ નિમિત્તે વિવિધ મંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આમ રાજ્યભરમાં આજના પાવન દિવસની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીર સોમનાથના તમિલ પરિવારોની ગરબે ઘૂમી નવ વર્ષની ઉજવણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code