1. Home
  2. Tag "Central Government"

કેન્દ્ર સરકારે ‘ફાઇનાન્સ એક્ટ 2026’ નોટિફાય કર્યો, નવા બજેટના ટેક્સ નિયમો લાગુ થયાં

નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: ભારત સરકારે નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટના દરખાસ્તોને અમલી બનાવવા માટે ‘ફાઇનાન્સ એક્ટ 2026’ (નાણા અધિનિયમ)ને સૂચિત (Notify) કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 30 માર્ચના રોજ આ વિધેયક પર મહોર મારતા હવે તેને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. ગયા શુક્રવારે રાજ્યસભાએ નાણા બિલ 2026ને મંજૂરી આપી લોકસભાને પરત મોકલ્યું […]

યુવાનો અને બાળકોમાં મોબાઈલ ફોનની વધતી આદતનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: દેશના યુવાધનને અજગરભરડો લઈ રહેલા ડિજિટલ વ્યસન અંગે શુક્રવારે રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા દાવો કર્યો હતો કે, મોબાઈલ અને સ્ક્રીન એડિક્શનને કારણે દેશમાં દર વર્ષે અંદાજે 20 હજાર બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે સરકારને આ સંકટ સામે […]

કેન્દ્ર સરકાર હવે દર 15 દિવસે ઓઈલની કિંમતોની સમીક્ષા કરશે

નવી દિલ્હી, 27 માર્ચ 2026 : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે દેશના સામાન્ય નાગરિકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સરકાર હવે દર 15 દિવસે તેલની કિંમતોની સમીક્ષા કરશે. તેલ કંપનીઓની ખોટ ઘટાડવા અને ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે તે હેતુથી એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. […]

કેન્દ્ર સરકારનો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 10નો ઘટાડો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. શુક્રવારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 10 નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ પેટ્રોલ પરની […]

ઘણા ખેડૂતોની આવક બમણી થઈ છે: શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 24 માર્ચ 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દરેક પરિસ્થિતિમાં ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે અને અન્નદાતાને સંકટમાંથી બચાવવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે NDA સરકારે […]

LPG અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે ઉત્પાદનમાં કર્યો 40% નો વધારો

નવી દિલ્હી, 20 માર્ચ 2026: દેશમાં ઇંધણની અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતા અને ઉદ્યોગો માટે રાહતના સમાચાર આપ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સતત જળવાઈ રહેશે. દેશમાં રાંધણ ગેસ (LPG) ની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે […]

તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી, 10 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે. તમિલનાડુના મદુરાઈના મંદિર શહેરમાં આવેલું મદુરાઈ એરપોર્ટ, રાજ્યના સૌથી જૂના એરપોર્ટમાંનું એક છે. તે દક્ષિણ તમિલનાડુના એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે અને પર્યટન અને યાત્રાધામને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, […]

કેરલ હવે કેરલમ તરીકે ઓળખાશે, કેન્દ્ર સરકારે નામ બદલવાની આપી મંજુરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કેબિનેટે કેરલનું નામ બદલીને કેરલમ કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, જ્યારે ભાષાના આધાર ઉપર રાજ્યનું નિર્માણ થયું ત્યારથી જ આ માંગણી હતી કે, કેરલની જગ્યાએ નામ કેરલમ હોવુ જોઈએ. આ માંગને કેબિનેટે સ્વિકારી લીધી છે. આ પગલુ આ વર્ષે કેરલમાં થનારી વિધાનસભાની […]

પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોને લખ્યો પત્રઃ જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી, 2026 – PM Narendra Modi letter પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણી કેટલી મહત્ત્વની બની રહેવાની છે તેનો અંદાજ આજની એક ઘટના પરથી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એબાર બીજેપી સરકાર’, અમને સેવાની તક આપો… એવા નિવેદન સાથે પશ્ચિમ બંગાળની જનતાને પત્ર લખ્યો છે. શું લખ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ એ પત્રમાં? વડાપ્રધાન […]

જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં મળશે રાજ્યનો દરજ્જો: કેન્દ્રીય મંત્રી મેઘવાલ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી ફરી એકવાર હકારાત્મક સંકેત મળ્યા છે. શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે ખાતરી આપી હતી કે જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં જ તેનો રાજ્યનો દરજ્જો પાછો મળશે. જોકે, આ કાર્યક્રમમાં હાજર મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code