1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા,તીવ્રતા 4.8 નોંધાઈ 

છત્તીસગઢમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.8 ની તીવ્રતા  કોઈ જાનહાનિ કે જાનમાલને નુકશાન નહીં  રાઇપુર:છત્તીસગઢના અંબિકાપુરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 5.28 વાગ્યે આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. જોકે ભૂકંપના આવેલા આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ […]

છત્તીસગઢઃ બાળકો ચોરીની આશંકાએ 3 સાધુઓ ઉપર ટોળાનો હુમલો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સાધુ-સંતો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન છત્તીસગઢમાં ત્રણ સાધુઓ ઉપર બાળક ચોરીની આશંકાએ ટોળાએ હુમલો કર્યાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો છત્તીસગઝઢના દુર્ગ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં બાળકોની ચોરીની શંકામાં ટોળાએ સાધુઓને માર માર્યો હતો. […]

છત્તીસગઢઃ જેસીબીના ટાયરમાં હવા ભરતા થયો બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ છત્તીસગઠના રાયપુર સ્થિત એક ફેકટરીમાં જેસીબીના વ્હાલમાં હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટ્યું હતું. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે શ્રમજીવીઓના મૃત્યુ થયાં હતા. સમગ્ર ઘટના ફેકટરીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાયપુરના સિલતરા વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાં જેસીબી મશીનનું ટાયર કાઢીને એક કર્મચારી તેમાં […]

છત્તીસગઢઃ અંતરિયાળ વિસ્તારમાં માઓવાદીઓએ માલગાડી અટકાવીને એન્જિનમાં આગ ચાંપી

નવી દિલ્હીઃ છત્તીસગઢના અંતરિયાળ વિસ્તારોમાં માઓવાદીઓનો ઉપદ્રવ વધ્યો છે. આ દરમિયાન દંતેવાડામાં માઓવાદીઓએ માલગાડીના એન્જિનમાં આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. માલગાડી બૈલાદિલાથી આયર્ન ઓર લઈને વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. આ મામલો ભાંસી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાતે માલદાડી આવ્યાની જાણકારી મળતા હથિયારો સાથે માઓવાદીઓ જંગલમાંથી નીકળીને ટ્રેક […]

છત્તીસગઢઃ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, અનેક નક્સલવાદીઓના મોતની આશંકા

નવી દિલ્હીઃ છત્તીસગઢના કાંકેર જિલ્લાના નક્સલ પ્રભાવિત તાડોકી વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટર દરમિયાન લગભગ એક કલાક સુધી બંને તરફથી ભારે ગોળીબાર થયાના સમાચાર છે. પોલીસ અધિક્ષક શલભ સિન્હાએ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસને કોસરોંડાના […]

છત્તીસગઢઃ અપહ્યુત પતિને મુક્ત કરાવવા પત્ની સંતાનોને લઈને નક્સલવાદીઓને મળવા ગઈ હતી

દિલ્હીઃ નક્સલવાદીઓએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક પુલ નિર્માણ સ્થળ પરથી એન્જિનિયર અશોક પવાર અને કાર્યકર આનંદ યાદવનું અપહરણ કર્યું હતું. તેની પત્નીની વિનંતી બાદ નક્સલવાદીઓએ એન્જિનિયરને મુક્ત કર્યો હતો. પતિની મુક્તિ માટે એન્જિનિયરની પત્ની તેના બે માસૂમ બાળકો સાથે જંગલમાં નક્સલવાદીઓને મળવા ગઈ હતી. તે તેના પતિની મુક્તિની માંગ કરી રહી હતી. આ સાથે પત્નીએ […]

છત્તીસગઢમાં પાંચ વર્ષમાં સૌથી વધારે પોલીસ એન્કાઉન્ટર, ઉત્તરપ્રદેશ બીજા સ્થાને

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યોમાં પોલીસ એન્કાઉન્ટરને લઈને વિવાદ ઉભો થાય છે. દરમિયાન સંસદમાં આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે ગૃહ મંત્રાલયે લોકસભામાં જવાબ આપ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે ડેટા અનુસાર, છત્તીસગઢમાં સૌથી વધુ પોલીસ એન્કાઉન્ટર થયા છે, જ્યારે આ યાદીમાં ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીજેપી સાંસદ વરુણ ગાંધીએ સરકાર […]

છત્તીસગઢમાં કોરોના સંક્રમિત દાંતના તબીબ ક્લીનીક ખોલીને દર્દીઓની સારવાર કરતા હતા

દિલ્હીઃ છત્તીસગઢના અંબિકાપુર જિલ્લામાં કોરોના સંક્રમિત ડોક્ટર ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરતા હોવાની ઘટના સામે આવી છે. અંબિકાપુરમાં મહિલા ડેન્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ પ્રાઈવેટ ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરી રહી હતી. મહિલા તબીબે તેને સમજાવવા આવેલી ટીમ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ફરિયાદ મળતાં સુરગુજા કલેક્ટરે વહીવટી સ્ટાફ મોકલીને મહિલા ડોક્ટરનું ક્લિનિક સીલ […]

છત્તીસગઢઃ બે નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ

બંને નકસવાદીઓ ઉપર ઈનામની થઈ હતી જાહેરાત તેમના પુનવર્સન નીતિનો લાભ અપાશે અનેક ગંભીર ઘટનાઓને આપી શક્યતા છે અંજામ દિલ્હીઃ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા લોન વર્રાતુ (ઘરે પરત આવો) અભિયાન હેઠળ ઈનામવાળા બે નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ નક્સલવાદીઓ ઘણી ઘટનાઓને અંજામ આપી ચુક્યાં છે. આ નક્સલવાદીઓ પાસેથી ઘણી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ […]

છત્તીસગઢઃ CRPF જવાને પોતાના ચાર સાથી કર્મચારીઓનો લીધો જીવ, ત્રણ ઘાયલ

સુકમાઃ છત્તીસગઢમાં નક્સલી ક્ષેત્ર સુકમામાં તૈનાત સીઆરપીએફના જવાને પોતાના જ સાથીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ચાર જવાનોના મોત થયાં હતા. જ્યારે 3 જવાનો ઘાયલ થયાં હતા.  ઘટના રાતના 3 વાગ્યાની આસપાસ સુકમા જિલ્લાના મુરઈગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પલ્લી સીઆરપીએફ 50 બટાલિયન કેમ્પમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર લિંગનપલ્લીની શિબિરમાં જવાનો વચ્ચે કોઈ મુદ્દે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code