મુખ્યમંત્રી ઉમરે કુલગામમાં શ્રમિકોની હત્યા પર શોક વ્યક્ત કર્યો, પરિવારોને 16-16 લાખનું વળતર જાહેર કર્યું
શ્રીનગર, 01 ઓગસ્ટ 2026: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે મજૂરોની કાયરતાપૂર્ણ હત્યા અંગે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ઊંડો શોક અને ભારે રોષ વ્યક્ત કર્યો છે. નિર્દોષ લોકોની હત્યાની આકરી શબ્દોમાં નિંદા કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય અને ટેકો પૂરો પાડવા માટે એક નોંધપાત્ર આર્થિક પેકેજની જાહેરાત કરી છે. […]


