1. Home
  2. Tag "Chief Minister"

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકાશે? શું ગુરુવારે સાંજે શપથ ગ્રહણ પણ કરશે ?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે શિંદે જૂથ અને ભાજપમાં સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે મીટીંગનો દોર શરૂ થયો છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં ગુરુવારે સાંજે જ તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે […]

વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે,મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા  

વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે કર્ણાટકના મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજન બેંગલુરૂ:કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓની સમીક્ષા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વડાપ્રધાન મોદી 21 જૂને મૈસૂર પેલેસમાં યોગ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા […]

ઉત્તરાખંડઃ પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. દરમિયાન ઉત્તરાખંડમાં સીએમની જવાબદારી ભાજપાએ પુષ્કરસિંહ ધામીને સોંપવામાં આવી હતી. દરમિયાન આજે ધામીએ ઉત્તરાખંડના 12માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પુષ્કર ધામીને રાજ્યપાલ લે.જનરલ ગુરમીત સિંહએ શપથ લેવડાવ્યાં હતા. શપથવિધી સમારોહમાં વડાપ્રધાન […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ધમાકેદાર શરૂઆત,જામનગરમાં કરોડો રૂપિયાના નિર્માણ કામને આપી મંજૂરી

ભૂપેન્દ્ર પટેલ સરકારની જામનગરને ભેટ જામનગરમાં કરોડોના નિર્માણના કામને મંજૂરી જામનગરવાસીઓને મોટી ભેટ રાજકોટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ 100.98 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે […]

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી સહીત અનેક મંત્રીઓ બંગલા ખાલી કરવા લાગ્યા,રૂપાણીને નવો બંગલો મળશે

ગુજરાતનું ગરમ રાજકારણ મંત્રીમંડળમાં થયો ફેરફાર હવે પૂર્વમંત્રીઓ કરી રહ્યા છે બંગલા ખાલી ગાંધીનગર:ગુજરાતમાં મંત્રીમંડળ બદલાતા હવે પૂર્વ મુખ્યમંત્રી સહીત અનેક મંત્રીઓ બંગલા ખાલી કરવા લાગ્યા છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવો બંગલો આપવામાં આવશે. એકમાત્ર પૂર્વ કૃષિ મંત્રી આર.સી. ફળદુએ તેમનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. હવે રૂપાણી સરકારનાં અન્ય મંત્રીઓ પણ તેમના […]

ગુજરાતમાં 2022ના અંત સુધીમાં મહાનગરોને વિશ્વકક્ષાના સ્માર્ટસિટી બનાવવા મુખ્યમંત્રીનું આહવાન

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોના મેયરો, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને મ્યૂનિસિપલ કમિશનરોની સંયુકત બેઠકમાં આગામી  2022ના અંત સુધીમાં મહાનગરોમાં 100 ટકા નલ સે જલ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટી.પી સ્કિમોના કામો, આવાસ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવા આહવાન કર્યુ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના મહાનગરો-શહેરો વિશ્વકક્ષાના આધુનિક અને અદ્યતન બને તે […]

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 65મો જન્મ દિવસ

ગુજરાતના મુખ્યમંત્રીનો જન્મદિવસ 66 વર્ષમાં કર્યો પ્રવેશ સીએમ પોતાના વતન રાજકોટમાં રહેશે હાજર રાજકોટ : ગુજરાતના મુખ્યમંત્રી આજે પોતાના જન્મદિવસ નિમિતે રાજકોટમાં હાજર રહેવાના છે. પોતાના વતન રાજકોટમાં મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 2 ઓગસ્ટ એટલે કે આજે વિજય રૂપાણી પોતાના જીવનના 65 વર્ષ પૂરા કરી 66માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિજય રૂપાણીનો જન્મ […]

પીએમ મોદી આજે ઉત્તર પૂર્વના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરશે

પીએમ મોદી પૂર્વોતર રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક કોરોનાની સ્થિતિ અને રસીકરણ અભિયાનની કરશે સમીક્ષા પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે વાતચીત દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પૂર્વોત્તર રાજ્યોના આઠ મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આમાં તે પૂર્વોતરમાં વધતા કોરોના સંક્રમણથી ઉત્પન્ન થયેલ હાલાત અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે,પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ […]

વલસાડ જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કરાતા ધર્મ પરિવર્તન સામે મુખ્યમંત્રીને રજુઆત

વલસાડ : ગુજરાતમાં ધર્માંતરણ સામેનો કાયદો કડક હોવા છતાં ઘણી વખત લાલચ આપીને ધર્માંત્તરણ કરાતું હોવાના કિસ્સા નોંધાતા હોય છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણની પ્રવૃત્તિઓ વધી હોવાના સનસનીખેજ આક્ષેપો ઉઠી રહ્યાં છે. વલસાડ જિલ્લા સહકાર ભારતી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે લેખિત રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર […]

મુખ્યપ્રધાન તો પાટિદાર સમાજનો જ હોવો જોઈએ, ખોડલધામમાં પાટિદાર અગ્રણીઓની બેઠકમાં થઈ ચર્ચા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે 2022માં યોજાવાની છે, ત્યારે પાટિદાર સમાજ દ્વારા મુખ્યપ્રધાન પાટિદાર સમાજનો જ હોવો જોઈએ તેવી માગ ઊઠી છે. આજે કાગવડમાં  ખોડલધામ મંદિર ખાતે લેઉવા-કડવા પાટિદાર સમાજના આગેવાનો વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાગ લેતાં પહેલાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સુચક અને મહત્ત્વના વિધાનો કરીને સૌને વિચારતાં કરી દીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code