1. Home
  2. Tag "Claim"

પૂર્ણ બહુમતી તો મળી ગઇ છે, હવે આગળ 400 પારની લડાઇ છેઃ અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર તબક્કાની ચૂંટણી બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી મળી ગઈ છે. “લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, 380 બેઠકો પર મતદાન થયું છે જેમાંથી ભાજપને 280 બેઠકો મળી ગઈ છે અને હવે આગળ 400 પારની લડાઈ છે. ઉલ્લેખનીય […]

સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સમાપ્ત કરી શકે છે સબસિડી, રિપોર્ટમાં દાવો

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સબસિડી થોડાક અઠલાડિયામાં સમાપ્ત થવાની સંભાવના છે. કેમ કે સરકાર ફાસ્ટર એડોપ્શન એન્ડ મૈન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલના ત્રીજા ચરણ એટલે ફેમ3ને લાગૂ કરવાના મૂડમાં નથી. આ વર્ષની શરૂઆતમાં સરકારે પહેલાથી સબસિડી ઓછી કરી દીધી છે. જેના લીધે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો હતો. માંગ હવે સ્થિર થઈ રહી હોવાનું જણાય છે, જેના […]

સમાજવાદી પાર્ટી યૂપીમાં 60 કે તેથી વધુ બેઠકો પર જીત મેળવશેઃ શિવપાલ યાદવ

લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે મતદાન થયું. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટો દાવો કર્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે સપા ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો જીતવા જઈ રહી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ […]

ગુજરાતઃ 20 વર્ષથી રોજગારી આપવામાં દેશનું નંબર-1 રાજ્યનો સરકારનો દાવો

અમદાવાદઃ રાજ્યના શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં રોજગારી પૂરી પાડવા માટે ગુજરાત છેલ્લા 20 વર્ષથી નંબર-1 છે. વલસાડ જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નમાં તેમણે માહિતી આપતા કહ્યું કે, વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 16,246 રોજગાર વાંચ્છુકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તાજેતરમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી ખાતેથી પી.એમ. મિત્ર […]

ભારતમાં સુરક્ષા પગલા મજબુત થતા આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો, રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્હીઃ સુરક્ષા પગલાં મજબૂત થવાને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેનાથી ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ સુધરી છે. FICCI કાસ્કેડ રિપોર્ટ અનુસાર, ભારતનો ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ (GTI) સ્કોર 7.43 અને ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર 44.7 છે. આ આંકડા દર્શાવે છે કે, 2016ની સરખામણીમાં દેશમાં આતંકવાદ અને અપરાધની ઘટનાઓમાં ઘટાડો થયો […]

પાકિસ્તાનથી પ્રેમીને પામવા આવેલી સીમા હૈદરીએ પ્રેમી સાથે લગ્ન કર્યાનો દાવો કરીને પરત જવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી ચાર સંતાનો સાથે બે દેશની સીમા પાર કરીને ભારત આવેલી સીમા હૈદરી અને તેના પ્રેમી સચીનની પોલીસે ધરપકડ કરી હતી. ગ્રેડર નોઈડામાં ઘણા મહિનાથી બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. જામીન ઉપર મુક્ત થયા બાદ સીમાએ હવે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરીને ભારત સરકારને પ્રેમી સચિન સાથે રહેવા વિનંતી કરી છે. […]

‘ધ કેરળ ફાઈલ્સ’ ફિલ્મના ટ્રેલરમાં દર્શાવેલો ધર્મ પરિવર્તનનો મામલો સત્યથી વેગળો, કેરળના CMનો દાવો

તિરુવનંતપુરમઃ હિન્દી ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં કથિત ધર્મપરિવર્તન મામલે વિવાદ વકર્યો છે, આ મામલે ભાજપા સહિતના રાજકીય પક્ષો કેરળ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન કેરળ સરકાર પોતાના બચાવમાં સામે આવી છે, તેમજ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હિન્દી ફિલ્મનું ટ્રેલર પ્રથમ નજરે એવું લાગે છે કે તે […]

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બળજબરીથી ધર્માંતરણની કોઈ ઘટના નથી બનીઃ તમિલનાડુ સરકારનો દાવો

નવી દિલ્હીઃ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બળજબરીથી ધર્મ પરિવર્તનની કોઈ ઘટના નથી બની. નાગરિકોને તેઓ જે ધર્મનું પાલન કરવા માગે છે તે પસંદ કરવાની સ્વતંત્રતા ધરાવે છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તમિલનાડુમાં બળજબરીથી ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. […]

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણમાં દસ નક્સલી ઠાર મરાયાનો દાવો

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ડીઆરડીના ત્રણ અધિકારીઓ શહીદ થયાં હતા. નક્સલવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. છત્તીસગઢના જગરગુંડા પોલીસ વિસ્તારમાં આવેલા જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા જવાનો ઉપર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેથી સુરક્ષાજવનોએ પણ સામે ગોળીબાર કર્યો હતો. સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં એએસઆઈ રામૂરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ […]

પોતાની સરકારના પતન માટે પૂર્વ આર્મી ચીફ બાજવા જવાબદાર હોવાનો ઈમરાન ખાનનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈરાનખાનની સરકારના પતન બાદ શહબાજ શરીફે સરકાર બનાવી હતી. જે તે વખતે સરકારના પતન માટે ઈમરાનખાને અમેરિકાને જવાબદાર ગણાવ્યાં હતા. જો કે, હવે તેઓ આ નિવેદન ઉપર યુ-ટર્ન લીધો છે, હવે સરકારના પતન માટે પૂર્વ સેના વડા બાજવા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમની સામે તપાસની માંગણી કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code