1. Home
  2. Tag "CM patel"

ભૂપેન્દ્ર પટેલે મહાકુંભ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા. 7 ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યું હતું. કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા […]

ગુજરાતઃ સાંકડા પુલોના સ્ટ્રકચર્સને પહોળા કરવા 467.50 કરોડ રૂપિયા ફાળવાયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવીને લોકોને અને ઉદ્યોગ વ્યાપારને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં ફોરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના 11 કામો માટે 467.50 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. તેમણે આ અગાઉ સાંકડા […]

ગુજરાતઃ 44 પ્રવાસન માર્ગોના સુધારણા માટે 2269 કરોડ મંજૂર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વધુ ગતિશીલ બનાવીને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાનો વ્યુહ અપનાવ્યો છે. રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના હયાત માર્ગોના અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામો માટે 2268.93 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રવાસન સ્થળોના કુલ 58 માર્ગો પર અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગની […]

ગુજરાતઃ તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-2025” હાથ ધરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી […]

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ

અમદાવાદઃ ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે  મેટ્રો રેલના બીજા તબક્કાના […]

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૨૫મી સપ્ટેમ્બરે થશે

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૧૦મી ઓક્ટોબરે થશે અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બર, […]

ભારતમાં જળ સંરક્ષણ એ એક નીતિ નહીં પરંતુ પ્રથા છેઃ નરેન્દ્ર મોદી

ગુજરાતમાં જળ સંયત જનભાગીદારી પહેલ શરૂ કરાઈ પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયાં કાર્યક્રમમાં નવી દિલ્હીઃ વડાપ્રધાને ગુજરાતમાં જળ સંચય, જનભાગીદારી પહેલ શરૂ કરી છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, ‘આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતની ધરતીથી શરૂ થઈ રહી છે. જલ શક્તિ મંત્રાલયે […]

સરકારી કર્મચારિઓએ કર્મયોગી એપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે

અમદાવાદઃ સરકારની નવી ગાઈડ લાઇન બહાર આવી ગઈ છે જેને લઈને સચિવાલયના કર્મચારિઓને હવે કર્મયોગી એપલિકેશનમાં રજિસ્ટર્ડ કરાવું ફરજિયાત બન્યું છે. સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ […]

ગુજરાતઃ 3 વીજ મથકોને સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં 2400 મેગાવોટનો વધારો થશે. હાલ 24962 મેગાવોટ પરંપરાગત અને […]

ગુજરાતઃ નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

નડિયાદના પરેડ ગ્રાઉન્ડ હજારોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા તિરંગો લહેરાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કર્યાં હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ અમદાવાદઃ આજે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો હતો. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code