1. Home
  2. Tag "cm yogi"

સંભલ હિંસામાં પથ્થરમારોના પોસ્ટ જાહેરમાં લગાવાશે, નુકશાનીની વસુલાત કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામા બાદ પથ્થરબાજો અને બદમાશોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે યુપી સરકાર હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પથ્થરબાજો અને તોફાનીઓના પોસ્ટર જાહેરમાં લગાવાય તેવી શકયતા છે. આ સાથે, તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરી શકાય છે. જો જરૂરી હોય તો, […]

મુંબઈ આતંકવાદી હુમલાની વરસી: આતંકવાદને ખતમ કરવા માટે એકતા અને સંકલ્પ માટે સીએમ યોગીનું આહવાન

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકવાદને ખતમ કરવા માટે એકતા અને સંકલ્પ માટે હાકલ કરી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલાની વરસી પર, મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે અમે ભારત માતાના બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેમણે તેમના જીવનનું બલિદાન […]

ઉત્તર પ્રદેશઃ ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ, 10 બાળકોના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 10 બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. સીએમ યોગી સહિતના મહાનુભાવોએ સમગ્ર ઘટનાને લઈને દુખ વ્યક્ત કરીને પીડિત પરિવારનો શાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મોડી રાતે આગની […]

યુપી મદરેસા એક્ટને સુપ્રીમ કોર્ટને માન્યતા આપી

લખનૌઃ યુપી મદરેસા એક્ટ મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટીને યુપી મદરેસા એક્ટને માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટની બંધારણીયતાને સમર્થન આપ્યું છે. 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી મદરસા બોર્ડ એક્ટને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવીને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ BJPના સ્ટાર પ્રચારક PM મોદી 8 અને નીતિન ગટકરી 40 જેટલી સભાઓ ગજવશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામ રાજકીય પક્ષોનું ફોકસ ચૂંટણી પ્રચાર પર છે. શિવસેના શિંદે જૂથ સાથે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પોતાની મજબૂત હાજરી સ્થાપિત કરવા પ્રચારનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભા […]

પ્રયાગરાજ મહાકુંભમાં મદીરાપાન અને માંસાહાર કરનાર પોલીસ કર્મચારીઓને ફરજ નહીં સોપાય

લખનૌઃ આગામી દિવસોમાં પ્રયાગરાજમાં યોજનાર મહાકુંભ મેળાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આ વખતે દારૂ પીનારા અને માંસાહારી ખોરાક લેતા પોલીસકર્મીઓને પ્રયાગરાજ મહાકુંભમાં ફરજ પર મૂકવામાં આવશે નહીં. ડીજીપી હેડક્વાર્ટરએ તમામ કમિશ્નરેટ અને રેન્જને પ્રયાગરાજ મોકલવામાં આવતા પોલીસ દળને લઈને આના પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. એવું પણ […]

PM મોદીને રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, તમારા વ્યક્તિત્વ અને કાર્યના બળ પર તમે અસાધારણ નેતૃત્વ પ્રદાન કર્યું છે અને દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. હું ઈચ્છું છું કે રાષ્ટ્રની […]

ઉત્તરપ્રદેશઃ સોશિયલ મીડિયા ઉપર દેશ વિરોધી પોસ્ટ કરનારને થશે આજીવન કેદની સજા

કેબિનેટની બેઠકમાં યુપી ડિજિટલ મીડિયા પોલિસીને મંજુરી સીએમ યોગીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હવે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટને લઈને કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સીએમ યોગીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં યુપી ડિજિટલ મીડિયા પોલિસી-2024ને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત અભદ્ર અથવા રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા […]

યુપીમાં 9 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવશેઃ સીએમ યોગી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાકોરી ટ્રેન એક્શન શતાબ્દી મહોત્સવ અને હર ઘર ત્રિરંગા કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે 9 થી 15 ઓગસ્ટ સુધી રાજ્યના દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતની સ્વતંત્રતા ચળવળની વિવિધ ઐતિહાસિક ઘટનાઓમાં કાકોરી ટ્રેન […]

નઝુલ પ્રોપર્ટી બિલ પર પોતાની જ પાર્ટીના જ ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા યોગી

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની જ પાર્ટીના ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા છે.. મુદ્દો છે નઝુલ પ્રોપર્ટી બિલનો. ઉત્તર પ્રદેશ વિધાનસભા દ્વારા પસાર થયા બાદ, નઝુલ પ્રોપર્ટી બિલ વિધાન પરિષદમાં પેન્ડિંગ છે. લોકસભા ચૂંટણી બાદ આ ત્રીજો મુદ્દો છે જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિપક્ષની સાથે પોતાની જ પાર્ટી ભાજપ અને સહયોગી પક્ષોના વિરોધનો સામનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code