1. Home
  2. Tag "COngress"

રાજનીતિનો રંગ: રાયબરેલીમાં કોંગ્રેસના MLAની ભાજપમાં એન્ટ્રી

રાજનીતિનો રંગ કોંગ્રેસ MLA ભાજપમાં જોડાયા રાયબરેલીમાં કોંગ્રેસને ફટકો દિલ્હી :રાજનીતિ અને રાજકારણ એ એવી વસ્તું છે કે તેમાં કોઈ કોઈનું હોતું નથી તે વાત લોકો પાસેથી અનેક વાર સાંભળી છે. આવામાં રાયબરેલી સદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પસંદ થયેલા અદિતિ સિંહ ભાજપમાં સામેલ થઈ ગયા છે. જાણકારી અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના નજીકના […]

યુપીએ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સ્પષ્ટ પ્રતિક્રિયા અપાતી ન હતીઃ નિર્મલા સીતારમન

દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ હાલની મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદી સરકારે સશસ્ત્ર દળોને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપ્યા છે. મોદી સરકારે સેનાને આ અધિકાર એટલા માટે આપ્યો જેથી કરીને બતાવી શકાય કે ભારત આવી સ્થિતિમાં કેવી […]

કોંગ્રેસના કાર્યકરો જુથબંધી ભૂલીને એક થઈ ભાજપનો સામનો કરવા સજ્જ બનેઃ ભરતસિંહ સોલંકી

વડોદરાઃ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરા  જિલ્લાની ટૂંક સમયમાં આવી રહેલી 289 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તેમ જ ત્યારબાદ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે યોજાયેલા જન જાગરણ અભિયાનના કાર્યક્રમમાં  કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીએ કાર્યકરો અને જિલ્લાના આગેવાનોને શીખામણ આપતા જણાવ્યું હતું કે, જુથબંધી ભૂલીને એક થાવ, સપના જોવા […]

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં જનજાગૃતિ અભિયાન, કાર્યકરોએ કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આજથી કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ગુજરાતભરમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને મોંઘવારી વિશે સમજ આપીને મોંઘવારી સામે લડત અને સહકાર આપવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસનો પેજ સભ્ય કાર્યક્રમ પણ […]

મોંઘવારી સામે લોકોનું સમર્થન મેળવવા માટે કોંગ્રેસની નવી રણનિતીઃ જારી કર્યો હેલ્પ લાઈન નંબર

મોંધાવારી સામે જનતાનું સમર્થન મેળવવા કોંગ્રેસની નવી પહેલ જારી કર્યો હેલ્પલાઈન નંબર   દિલ્હીઃ- દેશભરમામં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, ત્યારે વિરોધ પક્ષને તો માત્ર એક મુદ્દો જ જોઈતો હોય છે,ત્યારે હવે કોંગ્રેસ સતત મોદી સરકરાના રાજમાં વધી રહેલી મોંઘવારીની ટિકા કરતું આવ્યું છે,ત્યારેહવે કોંગ્રેસ પાર્ટિએ મોંધવારી બાબતે લોકોનું પણ સમર્થન મળી રહે તે […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ સહિતના રાજકીય પક્ષોને પરાસ્ત કરવા કોંગ્રેસે ઘડી રણનીતિ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપી છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખીને રાજ્યભરમાં રેલીઓ અને સભાઓ કરી રહી છે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવા અને મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મેળવા […]

યુનિવર્સિટીઓ પર સરકારના નિયંત્રણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ. ખાતે સૂત્રોચ્ચાર કરાયો

રાજકોટઃ  રાજ્યની યુનિવર્સિટીઓમાં મહત્વના પદ પર નિમણૂંકો તેમજ મોટી રકમના વિકાસના કામો માટે થતી ગેરરીતિના મામલે વિવાદો સર્જાતા હોય છે. આથી રાજ્ય સરકારે મહત્વના પદ પર નિમણૂંકો અને વધુ રકમના કામો માટે સરકારની ફરજિયાત મંજુરી લેવી પડશે તેવો નિર્ણય લેતા  કોંગ્રેસે વિરોધ કર્યો છે. સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. […]

સતલાસણા તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકીને સત્તા સંભાળી

મહેસાણાઃ જિલ્લામાં સતલાસણા તાલુકા પંચાયતની સત્તા આંચકી કોંગ્રેસે ભાજપને જોરદાર આંચકો આપ્યો છે. પાતળી બહુમતી ધરાવતી આ તા.પં.માં પ્રમુખ તરીકે કોંગ્રેસનાં મનીષાબેન દિપકકુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે જગાજી લક્ષ્મણજી ઠાકોર 7 વિરુદ્ધ 8 મતે ચૂંટાઈ આવ્યા છે. તા.પં.માં 7 મહિના બાદ કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હતી. જેને લઇ ભાજપની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો […]

રાફેલ ભ્રષ્ટાચાર મામલે ભાજપનો કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર, કહ્યું – રાફેલમાં કમિશનથી ભ્રષ્ટાચાર કર્યો હતો

રાફેલ ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી કોંગ્રેસના સમયમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે રાફેલ સોદામાં પણ કમિશન લેવાયું હતું નવી દિલ્હી: રાફેલ ડીલ પર ફ્રેન્ચ મેગેઝીનના ખુલાસા બાદ રાજકારણમાં ફરીથી હડકંપ મચ્યો છે અને ફરીથી આરોપ-પ્રતિઆરોપ લાગી રહ્યા છે. આ વચ્ચે ભાજપે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પર આરોપ કરતા બીજેપી […]

પંજાબઃ કેપ્ટને કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ, રાજકીય પાર્ટીની જાહેરાત કરી નવી ઈનિંગ્સનો કર્યો પ્રારંભ

દિલ્હીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ આખરે કોંગ્રેસને અલવિદા કરી દીધું છે. કેપ્ટન અમરિંદર સિંહએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે. આ ઉપરાંત પંજાબ લોક કોંગ્રેસ નામની પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટનએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડવાના સંકેત આપ્યાં હતા. હવે કેપ્ટને પોતાની પાર્ટીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code