1. Home
  2. Tag "COngress"

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભૂતકાળમાં પક્ષ વિરોધી કામગીરી કરનારને કોંગ્રેસ નહીં આપે ટિકીટ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભૂતકાળમાં પક્ષ વિરોધી કામગીરી કરનારને ટિકીટ નહીં આપવાનો કોંગ્રેસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અનેક નેતાઓ અને કાર્યકરોના નામ કપાય તેવી શકયતાઓ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી […]

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં 1200થી વધારે નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ચૂંટણી […]

કોંગ્રેસના અધ્યક્ષ માટે મે મહિનામાં યોજાશે ચૂંટણી, વર્કિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી નવા અધ્યક્ષને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવાનો ઈન્કાર કરતા કોંગ્રેસના અધ્યક્ષને લઈને અટકળો વહેતી થઈ હતી. જો કે, કોંગ્રેસના અધ્યક્ષ પદે કોણ બિરાજશે તે ચૂંટણી દ્વારા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે આગામી મે મહિનામાં કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી કરશે. […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસ જનસંપર્ક અભિયાન મારફતે મતદારો સુધી પહોંચશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ વધારે તેજ કરવામાં આવી છે. તેમજ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ રાજ્યની તમામ મહાનગરપાલિકાનાતમામ વોર્ડ અને જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોના મતવિસ્તારમાં જનસંપર્ક અભિયાન કરશે. આ અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત […]

માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષની વયે નિધન થયું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. તેમજ તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજના તમામ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય […]

સુરતમાં રૂ. 5માં જવાની સુવિધા પુરી પાડવાનું કોંગ્રેસનું વચનઃ કોંગ્રેસે સંકલ્પ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. અમદાવાદ અને સુરત સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ચૂંટણી યોજાશે. જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન સુરત મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા સંકલ્પ જાહેર કરાયાં છે. કોંગ્રેસ દ્વારા સંકલ્પ જાહેર કરાયા છે કે, જો સુરત મનપામાં […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસના 200થી વધારે નેતાઓ રાજ્યભરમાં 6 હજારથી વધારે સભાઓ ગજવશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા શહેરી વિસ્તારમાં 500થી વધારે બેઠકોનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપવા માટે રણનીતિ તૈયાર કરી છે. રાજ્યભરમાં કોંગ્રેસના 200થી વધારે નેતાઓ 6000 જેટલી સભા-સમેલન ગજવશે. સુત્રોના […]

બિહાર કોંગ્રેસમાં નારાજગી, શક્તિસિંહ ગોહિલે પ્રભારી પદ ઉપરથી મુક્તિ આપવા કરી રજૂઆત

દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરતા કોંગ્રેસની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતું. કોંગ્રેસના સિનિયર નેતા અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રભારી પદેથી મુક્ત કરવા માટે પાર્ટી હાઈકમાન્ડને રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અંગત કારણોસર કોંગ્રેસના હાઈકમાન્ડને પ્રભારી પદેથી મુક્ત કરવા અને કેટલાક મહિના અન્ય હોદો આપવા માટે […]

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલવા માટે મહાવિકાસ અઘાડી સરકારમાં મતભેદ

મુંબઈઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં અલ્હાબાદ સહિતના શહેરના નામ બદલવામાં આવ્યાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઔરંગાબાદનું નામ બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમજ શિવસેના પણ શહેરનું નામ બદલીને સંભાજીનગર કરવા માંગે છે. જો કે, ઔરંગાબાદ શહેરનું નામ બદલવાના મુદ્દે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારની અંદર જ મતભેદ ઉભા થયાં છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, […]

બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી વધી, કોંગ્રેસ-ડાબેરીઓએ ફ્લોર ટેસ્ટની કરી માંગણી

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓએ એક સાથે ચૂંટણીજંગમાં ઝંપલાવશે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો અને એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસ અને ડાબેરીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારના ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code