1. Home
  2. Tag "COngress"

બિહાર કોંગ્રેસમાં નારાજગી, શક્તિસિંહ ગોહિલે પ્રભારી પદ ઉપરથી મુક્તિ આપવા કરી રજૂઆત

દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરતા કોંગ્રેસની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતું. કોંગ્રેસના સિનિયર નેતા અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રભારી પદેથી મુક્ત કરવા માટે પાર્ટી હાઈકમાન્ડને રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અંગત કારણોસર કોંગ્રેસના હાઈકમાન્ડને પ્રભારી પદેથી મુક્ત કરવા અને કેટલાક મહિના અન્ય હોદો આપવા માટે […]

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલવા માટે મહાવિકાસ અઘાડી સરકારમાં મતભેદ

મુંબઈઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં અલ્હાબાદ સહિતના શહેરના નામ બદલવામાં આવ્યાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઔરંગાબાદનું નામ બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમજ શિવસેના પણ શહેરનું નામ બદલીને સંભાજીનગર કરવા માંગે છે. જો કે, ઔરંગાબાદ શહેરનું નામ બદલવાના મુદ્દે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારની અંદર જ મતભેદ ઉભા થયાં છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, […]

બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી વધી, કોંગ્રેસ-ડાબેરીઓએ ફ્લોર ટેસ્ટની કરી માંગણી

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓએ એક સાથે ચૂંટણીજંગમાં ઝંપલાવશે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો અને એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસ અને ડાબેરીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારના ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે. […]

કર્ણાટકમાં ગૌહત્યા વિરોધી વટહુકમ મંજૂર

મુંબઈઃ કર્ણાટક વિધાનસભામાં ગૌ હત્યા વિરોધી વટહુમક પસાર કરવામાં આવ્યો હતો. હવે તેને મંજૂરી માટે રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવશે. વિધાનસભામાં હોબાળા વચ્ચે ગૌહત્યા અટકાવવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનો વિરોધ વ્યક્ત કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાનો બહિષ્કાર કર્યો હતો. આ બિલનું સત્તાવાર નામ બદલીને કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ બિલ-2020 રાખવામાં […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ, ‘આપ’ ઉમેદવારોને ઉતારશે મેદાનમાં

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારશે. જે માટે આપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય ત્રીજી કોઈ પાર્ટીને ભૂતકાળની ચૂંટણીમાં મોટી સફળતા મળી નથી. ત્યારે આમ આદમી પાર્ટી […]

રાજકારણમાંથી સન્યાસ લેવાની મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની ઈચ્છા ?

ભોપાલઃ મધ્યપ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન છિંદવાડામાં આયોજીત એક સભામાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે નિવેદન કર્યું હતું કે, હવે હું આરામા કરવા ઈચ્છું છું અને મને કોઈ પણ પદની મહાત્વાકાંક્ષા અને લાલચ નથી. કમલનાથના આ નિવેદનથી તેઓ રાજકારણમાંથી સન્યાસ લેવા માંગતા હોવાની અટકળો વહેતી થઈ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા […]

કોરોના મહામારીને પગલે સંસદનું શિયાળુ સત્ર નહીં યોજાય, સરકારનો નિર્ણય

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હોવાથી ચાલુ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં હોવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સીધુ બજેટ સત્ર જ મળશે. મોટાભાગના રાજકીય પક્ષોએ શિયાળુ સત્ર નહીં બોલાવવા માટે સંમતિ દર્શાવતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારના કૃષિ બિલનો દેશભરમાં ખેડૂતો વિરોધ કરી […]

ગુજરાતમાં ભારત બંધની નહિવત અસર, દેખાવકારોની કરાઈ અટકાયત

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિબિલના વિરોધમાં ખેડૂતોએ આપેલા ભારત બંધની અસર ગુજરાતમાં નહિંવત જોવા મળી હતી. દરમિયાન કૃષિ બિલના વિરોધમાં રાજ્યમાં અનેક સ્થળો ઉપર કોંગ્રેસના નેતા-કાર્યકરોએ દેખાવો કર્યો હતો. પોલીસે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની અટકાયત કરી હતી. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મોટાભાગના માર્કેટયાર્ડ ખુલ્લા રહ્યાં હતા. તેમજ અમદાવાદમાં પણ મોટાભાગની ઓફિસ ખુલી રહી હતી. […]

અમદાવાદ મનપાની ચૂંટણીની ભાજપે શરૂ કરી કવાયત, કોર્પોરેટરોના કામનો માંગ્યો રિપોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ટર્મ આગામી દિવસોમાં પૂર્ણ થવા છે. જેથી આગામી દિવસોમાં છ મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપ દ્વારા ભાજપના કોર્પોરેટરના કામનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે. મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા મતદારો સુધી […]

લોકસભા ચૂંટણી 2019: કઈ પાર્ટી ભાજપ કે કોંગ્રેસ સાથે છે અને કઈ પાર્ટી કોઈની સાથે નથી? જાણો એક નજરમાં

લોકસભા ચૂંટણીની સાત તબક્કામાં જાહેરાતની સાથે હવે ગઠબંધનને લઈને તોલમોલનો આખરી તબક્કો છે. હાલની પરિસ્થિતિમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકારણ ચાર જૂથોમાં દેખાઈ રહ્યું છે. જેમાં બે મુખ્ય ગઠબંધનો- ભાજપના નેતૃત્વવાળું એનડીએ અને કોંગ્રેસના વડપણ હેઠળનું યુપીએ. આ બંને ગઠબંધનોને ઘણા સ્થાનો પર અલગ-અલગ રાજ્યના અલગ-અલગ પ્રાદેશિક પક્ષો પણ ટક્કર આપી રહ્યા છે. પરંતુ આ જૂથોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code