1. Home
  2. ગુજરાતી
  3. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસ જનસંપર્ક અભિયાન મારફતે મતદારો સુધી પહોંચશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસ જનસંપર્ક અભિયાન મારફતે મતદારો સુધી પહોંચશે

0

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ વધારે તેજ કરવામાં આવી છે. તેમજ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ રાજ્યની તમામ મહાનગરપાલિકાનાતમામ વોર્ડ અને જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોના મતવિસ્તારમાં જનસંપર્ક અભિયાન કરશે. આ અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે. તેમજ વિવિધ નેતાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જિલ્લા પંચાયત બેઠક અને વોર્ડ દિઠ જનસપર્ક અભિયાન માટે નેતાઓને જવાબદારી સોંપાઈ છે. કોંગ્રેસે લીધેલા નિર્ણય પ્રમાણે તમામ જિલ્લા તાલુકા અને મહાનરપાલિકા વોર્ડ દિઠ અભિયાન કરાશે. આ ઉપરાંત અમદાવાદ સાબરમતી અને શાહીબાગમાં સભાઓ કરશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી , ઉપલેટા અને રાજકોટ શહેરમાં જનસંપર્ક કરશે જ્યારે ભરતસિંહ સોલંકી વડોદરા શહેરમાં જનસંપર્ક કરશે. અર્જૂનભાઇ મોઢવાડિયા ટંકારા અને જામનગર શહેરમાં જનસંપર્ક કરશે. જ્યારે તુષાર ચૌધરી સુરતના ચૌર્યાસી અને સુરત જિલ્લામાં જનસંપર્ક કરશે. દિપકભાઇ બાબરિયા ઇસનપુર અને ખોખરામાં, સી જે ચાવડા નરોડા અને વિરાટનગરમાં તથા જયરાજસિંહ પરમાર કુબેરનગર અને સરદારનગરમાં જનસંપર્ક કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code