1. Home
  2. Tag "CORONA"

દર્દીઓ ગમે તે વાહનમાં હોસ્પિટલમાં પહોંચે દાખલ કેમ કરાતા નથીઃ HC સરકારની ઝાટકણી કાઢી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો PIL પર સુનાવણી હાથ ધરીને રાજ્ય સરકારે દર્શાવેલી વિગતો સામે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. ગત સપ્તાહે હાઈકોર્ટના આદેશને પગલે આજે ગુજરાત સરકારે વર્તમાન પરિસ્થિતિ અને તેમાં પોતે લીધેલા પગલાં અંગે સોગંદનામું ફાઈલ કર્યું હતું. જેમાં કરાયેલા દાવાઓની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ […]

આ ચીજોને પાણીમાં નાખીને લો નાસ,તો તમને થશે ફાયદો

આ ચીજોને પાણીમાં નાખીને લો નાસ તો તમને થશે ફાયદો જાણો Steam Inhalation થી સંબંધિત જરૂરી માહિતી આ દિવસોમાં દેશમાં તમામ ભાગોમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે.કોવિડ પોઝિટીવ દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.ચિંતાજનક બાબત એ છે કે, કોરોનાની બીજી લહેર આખા પરિવારને પોતાની ચપેટમાં લઇ રહી છે. આને કારણે લોકો પરેશાન છે […]

રાજ્યમાં 1 મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન અને 7 જૂનથી નવું સત્ર શરૂ કરોઃ સંચાલક મંડળ

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં વેકેશનને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી ત્યારે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી વેકેશનને લઈને એવી રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 1 મેથી ઉનાળુ વેકેશન અને તા.7 જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો કરવો જોઈએ. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ શાળા દ્વારા તે અંગેની કાર્યવાહી પૂર્ણ કરવામાં […]

કોરોનાને લીધે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરની આવકમાં 50 ટકાનો ઘટાડો

નડિયાદઃ કોરોનાના કપરા કાળમાં મંદિરોની આવકમાં પણ ઘટાડો થયો છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડ રાયજી મંદિરને મળનારા દાન, ચઢાવો અને જુદા જુદા પ્રકારની આવકમાં 50 ટકા કરતા વધારે ઘટાડો નોંધાયો છે. યાત્રાધામ રણછોડરાયજી મંદિરના ઓફિસ સ્ટાફ તરફથી મળતી વિગતો મુજબ કોરોના કાળ દરમિયાન ભક્તોની સંખ્યામાં વર્ષ 2020-21 દરમિયાન ઘટાડો નોંધાયો છે. જેની […]

કોરોનામાં દીકરો ગુમાવનારા માતા-પિતા અન્ય પરિવાર સંતાન ન ગુમાવે તે માટે ખર્ચી રહ્યાં છે ઘડપણની મૂડી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં અનેક પરિવારોએ પોતોના સ્વજન ગુમાવ્યાં છે. અમદાવાદના એક દંપતિએ પણ કોરોના મહામારીમાં એકના લએક પુત્રને ગુમાવ્યો છે. પુત્રના અવસાન બાદ દંપતિએ મનોબળને વધારે મજબુત બનાવીને અન્ય પરિવાર પોતાના સ્વજન ન ગુમાવે તે માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. તેમજ કોરોના પીડિતો અને જરૂરીયાત મંદોની મદદ માટે રૂ. 15 લાખની એફડી […]

પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી કરૂણા શુકલાનું કોરોનાથી નિધન

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનોએ અંતિમ શ્વાસ લીધા છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરૂણા શુકલાનું કોરોનાથી નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેમની છત્તીસગઢની એક હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ સાંસદ કરૂણા શુકલા કોરોના સંક્રમિત થતા છત્તીસગઢની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી […]

ગુજરાતમાં કોરોનાને નાથવા સરકાર હવે આયુર્વેદ અને હોમિયોપેથીનો લેશે સહારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે તેમજ અનેક દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. બીજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની આ બીજી લ્હેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જિતવાની […]

કોરોના સામે ભારતની મજબૂત લડત: ઓક્સિજન એક્સપ્રેસ કુલ 450 MT ઓક્સિજનની ડિલિવરી કરશે

કોરોના સામેની સરકારની મજબૂત લડાઈ યુદ્ધના ધોરણે ચાલી રહી છે તૈયારીઓ રાજ્યોને ઓક્સિજન પહોંચાડવા દોડી ઓક્સિજન એક્સપ્રેસ નવી દિલ્લી: કોરોના સામેની લડાઈમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ઓક્સિજનની અછતના કારણે ન જાય તે માટે હાલ સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દ્વારા સ્પેશિયલ ઓક્સિજન એક્સપ્રેસ પણ દોડાવવામાં આવી છે જે હાલ 450 MT ઓક્સિજનની ડિલિવરી […]

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને એઈમ્સમાં કરાયો દાખલ, થોડા દિવસ પહેલા થયો હતો કોરોનાથી સંક્રમિત  

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં કરાયો દાખલ થોડા દિવસ પહેલા કોરોનાથી થયો હતો સંક્રમિત   દિલ્હી : સમગ્રદેશમાં કોરોનાનો કાળો કહેર છે.સૌ કોઈ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.ત્યારે અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન પણ કોરોના પોઝિટિવ છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.આ માહિતી તિહાડ જેલના અધિકારીઓએ […]

હવે ઉત્તર ઈટલીમાં પણ કોરોનાના નવા ભારતીય વેરિએન્ટની થઈ પુષ્ટિઃ બે કેસ આવ્યા સામે

ઈટલીમાં જોવા મળ્યો કોરોનાનો ભારતીય વેરિએન્ટ ભારત બાદ હવે ઈટલીમાં આ વેરિએન્ટના બે કેસ નોંધાયા પિતા પુત્રી બન્ને ભારતથી પરત ફર્યા હતા દિલ્હીઃ- ભારત દેશ હાલ ખૂબજ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે,  હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતથી લોકો જીવ ગુમાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક દેશોમાં ભારતીય વેરિએન્ટ મળવાની પૃષ્ટિ કરવામાં આવી હતી, ત્યારે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code