1. Home
  2. Tag "CORONA"

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો દર્દીમાં કોઈ લક્ષણ નહીં – સ્વાસ્થ્યમંત્રી અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 40 કેસ બેંગલુરુ : કર્ણાટકમાં કોવિડ-19 ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે.સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે જણાવ્યું કે, સંક્રમિત વ્યક્તિમાં કોઈ લક્ષણો નથી અને આ વાયરસ તેની સાથે કોઇ સંપર્કમાં આવ્યો નથી. આ કેસ રાજ્યના મૈસુરુમાં […]

ભારતમાં 2 વર્ષથી વધુની ઉંમરના બાળકોને સપ્ટેમ્બર સુધીમાં રસી ઉપલબ્ધ થશેઃ ગુલેરિયા

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત બાળકોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે રસીની ટ્રાયલ ચાલી હી છે. દરમિયાન એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, 2 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે સપ્ટેમ્બર સુધી દેશમાં કોવેક્સિન ઉપલબ્ધ થઈ જશે. એમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું […]

સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, આ 3 તકેદારી રાખવી આવશ્યક

કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધી આવી શકે આ માટે ત્રણ તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને રસીકરણ જરૂરી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરના કેસો હવે સતત ઘટી રહ્યા છે. કોરોનાની બીજી લહેરની અસર ઓછી થઇ રહી છે જો કે સામે ત્રીજી લહેરનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ દાવો […]

ગુજરાતમાં દર મહિને સરેરાશ 3 લાખ લોકોને માસ્ક વિના પકડીને રૂ. 20 કરોડના દંડની વસુલાત

હવે માસ્ક વગર 1000 રૂપિયાના દંડથી મળી શકે છે રાહત નવા નિયમ મુજબ દંડ 500 રૂપિયા થઈ શકે છે કોરાનાથી રાહત થતા મુખ્યમંત્રી રૂપાણી કરી શકે છે જાહેરાત રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે અને તેના કારણે કોરોનાવાયરસના સંક્રમણથી લોકોને રાહત પણ મળી છે. હવે વધારે રાહત મળતા […]

કોરોના બાદ નવી આફત, મહારાષ્ટ્રમાં ચામાચીડિયામાંથી મળ્યો નિપાહ વાયરસ

કોરોના બાદ હવે નિપાહ વાયરસનો ડર ચામાચીડિયામાં જોવા મળ્યો વાયરસ મહારાષ્ટ્રમાં લોકોએ વધારે સતર્ક થવું જરૂરી મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો નથી કે નવી આફત સામે આવી છે. રાજ્યમાં ચામાચીડિયાની બે પ્રજાતિમાં નિપાહ વાયરસ મળી આવ્યો છે. રાજ્યમાં નિપાહ વાયરસ મળવાની આ પહેલી ઘટના છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી, પુણે-એનઆઈવીના નિષ્ણાંતોએ આ માહિતી […]

અમદાવાદમાં કોરોના કાળમાં પણ 1003 લોકોએ દારૂની નવી પરમિટો લીધી, 723 પરમિટોને રિન્યુ કરાઈ

અમદાવાદઃ કોરોનાના કાળમાં અનેક ઉદ્યોગ-ધંધા બંધ હતા. અનેક લોકો વર્ક ટુ હોમ એટલે કે ઘેર બેસીને ઓફિસનું કામકાજ કરવાની ફરજ પડી હતી. જેમાં ડ્રાય સ્ટેટ ગણાતા ગાંધીજીના ગુજરાતમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં વધારો થયો હતો. છેલ્લાં ચાર વર્ષમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યા બમણી થઈ છે. 2018થી જૂન-2021 સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી 3,108 નવી પરમિટ ઈસ્યુ થઈ […]

સુરતમાં 230 કેન્દ્રો પરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ ૨૩૦ વેકસીનેશન સેન્ટર શરૂ કરાયાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ઈસ્ટ ઝોનના સરથાણા કોમ્યુનિટી હોલ, પુણા સીમાડા કોમ્યુનિટી હોલ,  મોટાવરાછા કોમ્યુનિટી હોલ, ઈસ્ટ ઝોન-એમાં મીનીબજારની પટેલ સમાજની વાડી, સેન્ટ્રલ વેર હાઉસ રોડ વિસ્તારમાં […]

ગુજરાતમાં 18 થી 44 વર્ષની વય જૂથની વ્યક્તિઓને પણ હવેથી વૉક-ઈન વૅક્સિનેશનઃ CM રૂપાણી

અમદાવાદઃ  કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા તા. 21મી જૂનને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. તેમ મુખ્યમંત્રી વિજય […]

આ રીતે કોરોના મગજને કરે છે અસર, યુકે અધ્યયનમાં થયો ખુલાસો

કોરોના મગજમાં કેવી રીતે કરે છે અસર આ અંગે યુકે બાયોબેંકે કર્યું અધ્યયન અહીંયા વાંચો કઇ રીતે મગજને કરે છે અસર નવી દિલ્હી: કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં કોરોના મગજને પણ અસર કરતો હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ લોકોના મગજમાં ગ્રે પદાર્થમાં નોંધપાત્ર ઘટાડો જોવા […]

કોરોનાનો ભરડોઃ દુનિયામાં ત્યાર સુધીમાં 40 લાખથી વધારે લોકોના થયા મોત

ભારત, અમેરિકા, બ્રાઝિલમાં સૌથી વધારે મોત કોરોના માટે અમેરિકાએ ચીનને ઠરાવ્યું જવાબદાર દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની સામે લડાઈ લડી રહ્યાં છે. દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં 40 લાખથી વધારે લોકોના મોત થયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code