1. Home
  2. Tag "court"

ગોધરા હત્યાકાંડ: નરોડા ગામ કેસમાં આરોપીઓને નિર્દોશ છોડી મુકવા વિશેષ અદાલતનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં વર્ષ 2002માં સર્જાયેલા ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમીતોફાનોમાં અમદાવાદના નરોડા ગામમાં તોફાની ટોળાએ હુમલો કર્યો હતો. આ કેસમાં આજે વિશેષ અદાલતે માયાબેન કોડનાની અને બાબુ બજરંગી સહિત 69 લોકોને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન 200થી વધારે સાક્ષીઓ તપાસમાં આવ્યાં હતા. કોર્ટના ચુકાદા બાદ કોર્ટ સંકુલમાં ‘ભારત માતા કી […]

અતિક-અશરફ કેસમાં ત્રણેય શૂટર્સને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરાયાં, પોલીસે મેળવ્યાં રિમાન્ડ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની સરાજાહેર 3 શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. હત્યા કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરાયાં હતા. અદાલતે તપાસનીશ એજન્સીની રજુઆતને ધ્યાનમાં રાખીને 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.માફિયા અતિક અહમદ અને અશરફ અહમદ હત્યા કેસમાં ત્રણેય આરોપીઓ સાથે પ્રયાગરાજ પોલીસ […]

ઉમેશ પાલ હત્યા કેસઃ અતિક અહેમદને કોર્ટમાં રજુ કરાયો, પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા

લખનૌઃ પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. રિમાન્ડની સુનાવણી દરમિયાન અતિક અને અશરફ કઠેરામાં ઉભા રહ્યાં હતા. દરમિયાન ગળુ સુકાતા અતિક અહેમદએ પાણી મંગાવીને પીધું હતું. બંને આરોપીઓના રિમાન્ડને લઈને કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ […]

દિલ્હી: મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં,કોર્ટે 17 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારી

દિલ્હી : રાજધાની દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિઓના આરોપોનો સામનો કરી રહેલા સિસોદિયા આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાન, વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી છે. સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. કોર્ટમાં […]

રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી કોર્ટમાંથી જામીન મળ્યા,કેસની આગામી સુનાવણી 3 મેના રોજ થશે

અમદાવાદ :સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અપીલ સ્વીકારી છે. રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે. રાહુલ ગાંધીને પણ 13 એપ્રિલ સુધી જામીન આપવામાં આવ્યા છે. માનહાનિ કેસમાં સજા સામે 3 મેના રોજ સુનાવણી થશે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમના નિવેદનના કેસમાં સુરતની […]

બારડોલીમાં સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

અમદાવાદઃ બારડોલીમાં 11 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાના ચકચારી બનાવમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. અદાલતે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર 20 ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા […]

ઉત્તરપ્રદેશઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં કુખ્યાત અતિક અહેમદને કોર્ટે આજીવન કેસની સજા ફરમાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ સહિત 3 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. તેમજ તેમને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે તેમને દંડ પણ ફટકાર્યો હતો. જો આરોપીઓ દંડ નહીં ભરે તો વધારે સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે સજાનો આદેશ કરતા અતિક અહેમદની આંખોમાં આસુ આવી […]

NIAએ પ્રતિબંધિત PFI ના 19 સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા-PFI ના 19 સભ્યો વિરુદ્ધ પાંચમી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં PFI ની રાષ્ટ્રીય કાર્યકારિણીના બાર સભ્યોના નામ સામેલ છે. જેમના પર દેશમાં ઈસ્લામિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે જેહાદ ચલાવવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે. NIAના પ્રવક્તાએ કહ્યું કે PFI સંબંધિત કેસમાં અત્યાર સુધીમાં 105 […]

રાજ્યમાં 25 જિલ્લામાં એટ્રોસિટી કોર્ટ શરૂ થશે, અમદાવાદ સહિત પાંચ શહેરોમાં નવી એનડીપીએસ કોર્ટ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ પીડિતોને ઝડપથી ન્યાય મળી રહે તે માટે નવી કોર્ટ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી દિવસોમાં 25 જિલ્લામાં નવી એટ્રોસિટી કોર્ટ શરૂ કરવામાં આવશે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા ડીજીટલ ઇન્‍ડીયા બાદ હવે અદાલતોમાં પણ કમ્‍પ્‍યુટર અને ડીઝીટીલાઇઝન ઉપર […]

રાજકોટઃ 16 વર્ષ પહેલા લાંચ કેસમાં ઝડપાયેલા મનપાના કલાર્કને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી

અમદાવાદઃ રાજકોટમાં 16 વર્ષ પહેલા લાંચ કેસમાં ઝડપાયેલા સોલીડ મેનેજમેન્ટ વિભાગના પૂર્વ કલાર્ક કોર્ટે સજા ફરમાવી છે. સાથી કર્મચારી પાસેથી લોન માટેના દસ્તાવેજમાં સહી કરવા માટે જે તે વખતે ક્લાર્ક ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રદાન ગઢવીએ રૂ. એક હજારની લાંચ માંગી હતી. આ કેસમાં કોર્ટે ચંદ્રકાંત ગઢવીને કસુરવાર ઠરાવીને પાંચ વર્ષની સજા ફરમાવી હતી. તેમજ રૂ. 40 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code