સોમનાથ મહાદેવજીને નાગ દર્શનનો શણગાર કરાયો, ભાવિકો દર્શન માટે ઉમટ્યાં
વેરાવળઃ બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શન માટે શ્રાવણ મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે કૃષ્ણ પંચમીના દિને સોમનાથ મહાદેવજીને નાગ દર્શનનો શણગાર કરાયો હતો. સોમેશ્વર જ્યોતિર્લિંગ પર ચંદનની મદદથી નાગદેવતાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ મહાદેવ પાસે ચાંદી અને સૂવર્ણની […]