રાજ્યના વન કર્મચારીઓએ વૃક્ષો વાવીને પોતાની માગણીઓના ઉકેલ માટે માગ કરી
અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગના કર્મચારીઓ પણ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે 6 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની રજા ઉપર ઉતર્યા છે. વનરક્ષક અને વનપાલની માંગણીઓનું કોઈ સુખદ નિરાકરણ ન આવતા રાજ્યનાં દરેક જિલ્લામાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષો વાવી સંદેશ પહોંચાડવાનાં કાર્યક્રમનાં અનુસંધાને તમામ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. બનાસકાંઠામાં શનિવારે પારપડા ગામના રામદેવપીર મંદિર ખાતે વનરક્ષક અને […]