1. Home
  2. Tag "demolition"

વઢવાણમાં મ્યુનિએ ડિમોલિશન દરમિયાન 250 વર્ષ જુનો કૂવો તોડી પાડતા વિરોધ

વઢવાણ, 14 જુન, 2026 : Protests as 250-year-old well demolished during municipal demolition  સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વઢવાણ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વઢવાણના સતવારાપરા વિસ્તારમાં મ્યુનિ. દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 250 વર્ષ જુનો ઐતિહાસિક કૂવાને તોડી પડાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. સમગ્ર ઘટના […]

વઢવાણમાં શિયાણી પોળમાં આવેલી વર્ષો જુની શાક માર્કેટનું ડિમોલિશન, નવી બનાવાશે

વઢવાણ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધતો જાય છે. વઢવાણમાં હાલ એક લાખ જેટલી વસતી છે. અને શિયાણીની પોળમાં એક જ શાકમાર્કેટ આવેલી છે. જે વર્ષો જુની છે, અને તેનું મકાન પણ જર્જરિત અવસ્થામાં છે. ત્યારે સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શિળાણીની પોળની જર્જરિત શાક માર્કેટને જમીન દોસ્ત કરી છે. અને આજ સ્થળે આગામી […]

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે આપ્યો સ્ટે

રાજકોટ, 2 ફેબ્રુઆરી 2026:   શહેરના જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની નોટિસ મામલે હાઈકોર્ટએ મહત્વનો આદેશ આપ્યો છે. 3 મહિના સુધી જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન નહીં થાય. હાઈકોર્ટે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલને અપીલ પર નિર્ણય કરવા આદેશ આપ્યો છે. અરજદારોને રિહેબિલિટેશન માટે પણ કન્સીડર કરવા નિર્દેશ આપ્યો છે. અરજદારોએ ડિમ્પલેશનની નોટિસને હાઈકોર્ટ સાથે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં ચેલેન્જ પણ કરી […]

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં વિવાદાસ્પદ સોસાયટીના ગેરકાયદે બંગલાનું ડિમોલિશન

અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:   શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં એક ગેરકાયદેસર બંગલાને મ્યુનિના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરાયુ હતુ. નવો બંગલો બનાવવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, જે બાદ આજે 16 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પોલીસ બંદોબસ્ત […]

ચોટિલામાં ડુંગરના તળેટીમાં ચોથા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ

 સુરેન્દ્રનગર,13 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલાના ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર દબાણો હટાવવા છેલ્લા ચાર દિવસથી ઝૂંબેશ ચાલી રહી છે. ડેપ્યુટી કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીના પરિણામે, માતાજીના ડુંગર તરફ જતો મુખ્ય માર્ગ, જે અગાઉ દબાણોને કારણે સાંકડો હતો, તે હવે 40 ફૂટ પહોળો કરવામાં […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કચેરી સામેના બિલ્ડિંગના બે માળને સીલ કરાયા

કોંગ્રેસના MLA અને બે કાર્પોરેટરો, સ્થાનિક લોકો દ્વારા ડિમોલિશન અટકાવવા પ્રયાસ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો 6 માળના બિલ્ડિંગમાં બે માળ સીલ કરાયા અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય કચેરી સામે જ 5 માળના બિલ્ડિંગમાં બે માળ ગેરકાયદે હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારથી બે માળ તોડવાની કામગીરીનો પ્રારંભ થતાં લોકોના […]

ગાઈડલાઈનનું પાલન કર્યા વિના ડિમોલિશન નહીં થાય, 15 દિવસ પહેલા નોટિસ આપવી પડશે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુનેગારો સામે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, તેમણે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોને ધ્યાનમાં રાખ્યા છે, જે લોકોને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી રક્ષણ પૂરું પાડે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કાયદાનું શાસન એ સુનિશ્ચિત કરે છે કે લોકો જાણે છે કે તેમની મિલકત માત્ર […]

સોમનાથમાં ડિમોલેશન સામે સુપ્રીમમાં રિટ, હાઈકોર્ટમાં કાલે ચુકાદાની શક્યતા

ગુજરાત હાઈકોર્ટે સ્ટેટસ્કવોની માગ પરનો ચુકાદો અનામત રાખ્યો, સરકારી જમીનો પર દબાણો વર્ષોથી ખડકાયેલા હતા, સરકારે દબાણો હટાવવા મેદા ઓપરેશન કર્યું હતું અમદાવાદઃગીર સોમનાથ જિલ્લામાં સોમનાથમાં સરકારી જમીનો પર વર્ષોથી કરાયેલા દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ઓપરેશનમાં રેન્જ આઈજી સહિતના અધિકારીઓ અને ત્રણ જિલ્લાની પોલીસનો બંદાબસ્ત ગોઠવીને મોટાપાયે દબાણો હટાવાયા […]

જોશીમઠમાં જોખમી ઈમારતોને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઈ

લખનૌઃ ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂખલન તથા મકાનોમાં તિરાડ પડવાની ઘટનાથી તંત્ર હરકતમાં આવ્યું છે. લગભગ 600 જેટલા મકાનોમાં તિરોડો પડી છે જેથી અહીં વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયાં છે. આ મકાનોમાં વસવાટ કરતા અનેક પરિવારોએ સ્થળાંતર કર્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા ભયજનક ઈમારતોને તોડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી બે […]

વઢવાણના ઐતિહાસિક ગણાતા ગઢની દીવાલ તોડી પાડવામાં આવી, પાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ  વઢવાણ શહેરની ફરતે ઐતિહાસિક ગઢ આવેલો છે. ત્યારે આ ગઢની દીવાલ તોડી ત્યાં કોઈ ચોક્કસ જ્ઞાતીના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ગેટ બનાવવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. વઢવાણ શહેર ઐતિહાસિક છે. અને શહેર ફરતે ગઢને લઈને તેની આગવી ઓળખ છે. ત્યારે અંગત લાભ માટે ગઢની દીવાલ તોડીને ગેઈટ મુકવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code