1. Home
  2. Tag "eknath shinde"

એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા

મુંબઈ: જાણીતા એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા છે. ગોવિંદાને મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેના યુબીટીના આમોલ કીર્તિકરના મુકાબલે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. બુધવારે ગોવિંદાએ શિવસેના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે પણ બેઠક કરી હતી. તેના પછી રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો […]

કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી […]

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 10% અનામત, પછાત વર્ગ પંચનો રિપોર્ટ મંજૂર

મુંબઈ: મરાઠા અનામત પર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે મરાઠા સમુદાયને અનામત આપવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે. તેના પ્રમાણે, રાજ્યમાં મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપવામાં આવશે. રાજ્ય પછાત વર્ગ પંચ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને એકનાથ શિંદે સરકારના કેબિનેટે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રથી પહેલા મંગળવાર સવારે એકનાથ શિંદેની […]

શિંદે જૂથ જ અસલી શિવસેના, મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યો પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો

મુંબઈ: શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે નિર્ણય એકનાથ શિંદેના પક્ષમાં આપ્યો છે. નાર્વેકરના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગ્યો છે. નાર્વેકરે કહ્યુ છે કે શિવસેનાના 1999ના બંધારણ મુજબ, ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાની કોઈ શક્તિ નથી. સ્પીકરે આના પર ચૂંટણી પંચના નિર્ણય પર પણ સંમતિ વ્યક્ત […]

હવે ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે,ઉસ્માનાબાદનું નામ પણ બદલાયું

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલાયા  ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે એમવીએ સરકારે નામ બદલવાનો લીધો હતો નિર્ણય  મુંબઈ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલવામાં આવ્યા છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ રાખવાની સૂચના બહાર પાડી છે. શુક્રવારે રાત્રે મહેસૂલ વિભાગ દ્વારા […]

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

દિલ્હી :  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના પરિવાર સાથે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમના પિતા સંભાજી શિંદે, પત્ની લતા શિંદે, સાંસદ અને પુત્ર શ્રીકાંત શિંદે, પુત્રવધૂ રૂશાલી શિંદે અને પૌત્ર રુદ્રાક્ષ હાજર હતા. પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ એકનાથ શિંદે સાંજે 4 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહને મળવાના […]

શિવસેનાની સંપત્તિ મામલે શિંદે જૂથને SCનો ઝટકો, શિંદે જૂથને મિલ્કત ટ્રાન્સફર કરવાની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસ હાલના સમયમાં ઉપલબ્ધ સંપતિ એકનાથ શિંદે જૂથવાળી શિવસેનાને ટ્રાન્સફર કરવાની માંગણી કરતી અરજી કરતી સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. આશીષ ગીરી નામના વકીલે આ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી. આશીષ ગીરીની અરજી ફગાવતા ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડએ પૂછ્યું હતું કે, કેવા પ્રકારની આ અરજી છે અને આપ […]

મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિરઃ એકનાથ ખડસે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરીકે લડાઈ કોર્ટમાં પહોંચી હતી, દરમિયાન ચૂંટણીપંચ દ્વારા શિવસેનાનું પ્રતિક ફ્રીઝ કર્યું છે. હાલ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેનાના પ્રતિકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન એનસીપીના નેતાએ શિવસેનાનું નામ અને ચિન્હ ફ્રીજ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે. […]

મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે સરકારની કેબિનેટનું વિસ્તરણ , 18 મંત્રીઓનો સમાવેશ – રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા

મહારાષ્ટ્ર સરકારની એકનાથ શિંદેની કેબિનેટનું વિસ્તરણ 18 મંત્રીઓનો સમાવેશ  રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા મુંબઈઃ- મહારાષ્ટ્ર સરકારના એકનાથ શિંદે કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ કેબિનેટમાં 18 મંત્રીઓનો સમાવેશ કરાયો છે  જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિંદે જૂથ અને ભાજપ કેમ્પના  નવ-નવ  આમ કુલ 18 મંત્રીઓને રાજભવનમાં   શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કેલ કેબિનેટ વિસ્તરણ […]

શિવસેનાને ખતમ કરવા અને મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્રઃ આદિત્ય ઠાકરે

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની ઈડીએ અટકાયત કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહાર કરતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, આ શિવસેનાને ખતમ કરવા, મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. તે બધાની સામે છે અને તે જાણીતું છે. આદિત્ય ઠાકરે પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code