1. Home
  2. Tag "eknath shinde"

ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને પાવર બતાવશે, એકલા હાથે ચૂંટણી લડવાનો પ્લાન

મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 133 બેઠકો જીતીને ચમત્કાર કર્યો હતો. માત્ર 148 બેઠકો પર લડેલી ભાજપે લગભગ 90 ટકા બેઠકો જીતી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની આ સૌથી મોટી સફળતા છે. તેની પાછળ આરએસએસનું આયોજન અને મહેનત પણ એક કારણ માનવામાં આવે છે. આ દરમિયાન આરએસએસ અને ભાજપે પણ નાગરિક ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી […]

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આજે મહાયુતિની નવી સરકાર બની છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શિસવેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજીત પવારએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં […]

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદ માટે જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશુંઃ એકનાથ શિંદે

મુંબઈઃ શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે PM મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે સરકાર બનાવવામાં મારી તરફથી કોઈ અવરોધ નથી. PM મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. તેમણે કહ્યું, “મેં ક્યારેય મારી જાતને CM નથી માન્યું. […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]

જનતા મારી સરકારને સમર્થન આપશે કારણ કે તે જુએ છે કે સરકારે વિકાસના ઘણા કામ કર્યા છેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓણાં સત્તાધારી ગઠબંધન મહાયુતિની જીતનો દાવો કર્યો છે.. અને કહ્યું છે કે અમારા વિકાસના કામોને કારણે અમને જીત મળશે અને ઘરે બેસી રહેલા લોકોને જનતા હારનો સ્વાદ ચખાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે સત્તાધારી ગઠબંધન (મહાયુતિ) તેના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને કારણે આગામી વિધાનસભા […]

CMને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું, અનંત-રાધિકા પણ સાથે જોવા મળ્યા.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત 12 જુલાઈએ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને લગ્નના કાર્ડ આપવાનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન મુકેશ અંબાણી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના ઘરે […]

એકનાથ શિદેએ NDAની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને આપ્યું સમર્થન, કહી આ વાત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ શુક્રવારે એનડીએની બેઠકમાં હાજરી આપી હતી. આ ઓપન ફોરમમાં તેમણે કહ્યું કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ફેવિકોલ જેવું છે. જે તૂટશે નહીં. શું કહ્યું એકનાથ શિંદે? સીએમ એકનાથ શિંદેએ મંચ પરથી કહ્યું, “આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે, રાજનાથ સિંહ દ્વારા આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીને એનડીએ સંસદીય દળના […]

એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા

મુંબઈ: જાણીતા એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા છે. ગોવિંદાને મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેના યુબીટીના આમોલ કીર્તિકરના મુકાબલે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. બુધવારે ગોવિંદાએ શિવસેના એકનાથ શિંદે જૂથના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે પણ બેઠક કરી હતી. તેના પછી રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો […]

કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી […]

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 10% અનામત, પછાત વર્ગ પંચનો રિપોર્ટ મંજૂર

મુંબઈ: મરાઠા અનામત પર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે મરાઠા સમુદાયને અનામત આપવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે. તેના પ્રમાણે, રાજ્યમાં મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપવામાં આવશે. રાજ્ય પછાત વર્ગ પંચ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને એકનાથ શિંદે સરકારના કેબિનેટે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રથી પહેલા મંગળવાર સવારે એકનાથ શિંદેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code